SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ - જિનપ્રતિમાના ચરણકમલને વિષે ચલુ અને મન અત્યંત સ્થાપિત કર્યા છે એવો તે સાધક અખ્ખલિતાદિ ગુણોથી યુક્ત (પરમાત્માના વંદનનાસ્તોત્ર) નમુત્થણને બોલે. (૨૬૯) ( ૬ પ્રકારના વ્યાખ્યાનના સ્થાનો) "नमोऽत्थु णं अरहंताणं भगवंताणं इत्यादि । “નમોડસ્તુ મર્દો પવિત્યાતિ છે ર૭૦ | एयस्स उ वक्खाणं, संहियमाई कमेण छम्मेयं । . पुव्वपुरिसेहिँ दिई, उवइह तह य एवं तु ।। २७० ।। एतस्य तु व्याख्यानं संहितादिक्रमेण षड्भेदम् । पूर्वपुरुषैर्दृष्टमुपदिष्टं तथा चैवं तु ।। २७० ।। આ “નમોત્થણે” સૂત્રનું વ્યાખ્યાન સંહિતા વિગેરેના ક્રમથી છ પ્રકારનું પૂર્વના મહાપુરૂષોએ જોયેલું છે અને આ પ્રમાણે ઉપદેશેલું છે. (૨૭૦) સર્વકાર્યોનો ત્યાગ કરી, લાંબા કાળ સુધી ચૈત્યવંદનના સૂત્રોના અર્થનું અનુશીલન કરવારૂપે જે રીતે સંભવી શકે તે રીતે ત્રિભુવનપૂજય પરમાત્માની દ્રવ્યભાવરૂપ પૂજા કરી ત્યારબાદ કોઈ પણ જીવને બાધા ન પહોંચે એવી નિર્દોષ ભૂમિને જોઇ, પરમાત્માએ બતાવેલી વિધિથી પૂંજી, જમીન પર ઢીંચણ અને હાથ રાખી, અત્યંત તીવ્ર પણે વધતા શુભભાવો અને ઉછળતી ભક્તિની છોળથી આંખમાંથી હર્ષના આંસુ ઝરી રહ્યા હોય અને શરીરના રોમાંચ ખડા થઈ ગયા હોય તેવો, મિથ્યાત્વરૂપી જળના સ્થાનભૂત તથા અનેક પ્રકારના કદાગ્રહોરૂપી જળચરોના સમૂહથી વ્યાપ્ત ભવસમુદ્રમાં આયુષ્ય અનિત્ય હોવાના કારણે અતિદુર્લભ સકલ કલ્યાણનું એકમાત્ર કારણ, ચિંતામણી અને કલ્પવૃક્ષને પણ જે હેઠ ગણાવે તેવું (અર્થાત તે બંનેથી પણ વધુ માહાભ્યશાળી) આ ભગવંતના ચરણારવિંદનું વિંદન મને કોઈક રીતે પ્રાપ્ત થયું છે, આનાથી વિશેષ બીજું કોઈ કર્તવ્ય નથી એમ પોતાના આત્માને કૃતાર્થ માનતો, પરમાત્માને વિષે જ આંખ અને મનને જોડી રાખતો અતિચારના ભયથી સારી રીતે અસ્મલિતાદિગુણોથી યુક્તપણે અને અર્થના સ્મરણ સાથે નમોત્થણ સૂત્ર બોલે. ૨ અઅલિતાદિગુણો આ પ્રમાણે - અલિત-મ્બલના પામ્યા વગર, ii અમિલિત-અટક્યા વગર, સંપદા-પદચ્છેદ અને વિરામનો ખ્યાલ કર્યા વગર સડસડાટ બોલીજાય તે મિલિત, તેનાથી રહિત. iii અવ્યત્યાગ્રંડિત -પુનરુક્તિ વિ. દોષોથી તથા એકને ઠેકાણે બીજું સૂત્ર, એક સૂત્રના પદમાં બીજા સૂત્રનું પદ આવી જવું વિગેરેથી રહિત. iv કઠોષ્ઠવિપ્રમુક્ત - નાના બાળકની જેમ અસ્પષ્ટ ઉચ્ચારથી રહિત.yગુરુવાચનોપગત - ગુરૂભગવંત પાસેથી વિધિપૂર્વક વાચના લઈને શીખ્યા હોય ઇત્યાદિ. ૮O Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004869
Book TitleCheiavandana Mahabhasam
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy