SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ . તમામ વર્ણ કે જાતિનાં સ્ત્રી અને પુરુષને સમાનભાવે જોનાર અને સમાન સ્થિતિનાં અધિકારી ગણનાર ભગવાન મહાવીરના મુખમાં મુકાયેલા આ સૂત્રમાં સાલપુત્ર કુંભારની હકીકત આવે એમાં નવાઈ નથી. પણ એક પણ ઉપાસિકાનું સ્વતંત્ર વન નથી એ શું આશ્ચર્ય ઉપજાવે એવું નથી? આ સૂત્રમાં કયી કયી હકીકતા આવે છે એની ઠીકઠીક નેાંધ ચોથા અંગ સમવાયસૂત્રમાં અને શ્રુત (શાસ્ત્ર) ગ્રંથના પરિચય આપનારા નદીસૂત્રમાં પણ મળે છે. (જુએ આ પુસ્તકને અ ંતે ટિ. ૧.) તે ઉપરથી પણ ઉપાસિકાએ વિષે કશા જ નિર્દેશ આ સૂત્રમાં નથી એમ સ્પષ્ટ જણાય છે, પણ ટીકાકારા લખે છે કે આ સૂત્રમાં ૧૧ લાખ અને પર હજાર પદો છે. ૧૦ પદાના એક અનુષ્ટુપ ક્લાક ગણીએ તા આ સૂત્રમાં બધા મળીને લાખ ક્ષેાક તા થાય જ; પણ અત્યારે તે આપણી સામે આ સૂત્ર માત્ર ૮૧૨ શ્લોક પ્રમાણ જ છે. સંભવ છે કે સ્ત્રીજાતિ તરફની ઉપેક્ષાના સમયની અસરે આપણને કદાચ ભગવાન મહાવીરની ઉપાસિકાએના વનથી વંચત રાખ્યા હોય. આચાર્ય સિદ્ધસેન દિવાકર (‘સન્મતિ-પ્રકરણ’માં) કહે છે કે દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ, પર્યાય, દેશ, સંચાગ અને ભેદ એ બધું॰ લક્ષમાં રાખીને તત્ત્વની વિચારણા, પ્રરૂપણા કે આચારની ચેાજના કરવી. આ રીતે આ સૂત્રને સમજવાની દૃષ્ટિ આપણા આધુનિક કેળવણીના ૧. અહીં દ્રશ્ય એટલે જિજ્ઞાસુ, ક્ષેત્ર એટલે તેની ભગાલિક પરિસ્થિતિ, કાળ એટલે વખત, ભાવ એટલે જિજ્ઞાસુની શક્તિ, પર્યાય એટલે એ શક્તિનાં પ્રકારામાં આવેલાં કાર્યાં, દેશ એટલે તેનું વર્તમાન નિવાસસ્થાન, સ’યોગ એટલે તેની આજીમાજીની પરિસ્થિતિ, અને ભેદ એટલે જિજ્ઞાસુના અનેક પ્રકારે. આટલી વસ્તુએ ઉપર ધ્યાન આપીને ઉપદેશક કે જિજ્ઞાસુ આચાર કે તત્ત્વને સમાવવા કે સમજવાને પ્રયત્ન કરે, તે તે વનસ્પી થઈ જીવનને લાભ પહેાંચાડનાર થઈ શકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004867
Book TitleBhagvana Mahavira na Das Upasako
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1948
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy