________________
૧. આનંદ અને ભિક્ષામાં થયેલા દેશનું પ્રાયશ્ચિત્ત કર્યું. પછી પોતે આણેલું ખાનપાન ભગવાનને બતાવ્યું. એ બધે વિધિ પૂરા થઈ રહ્યા બાદ ભગવાનને વંદન-નમસ્કાર કરી, તેમણે પૂછ્યું,
ગૃહસ્થને આટલું મોટું અવધિજ્ઞાન થાય કે નહીં એ બાબતમાં મારે અને આનંદને મતભેદ થયો છે. તે બે ટું કહેતે હેઈ, પ્રાયશ્ચિત્ત લેવાને પાત્ર છે, એમ હું માનું છું. પરંતુ તે પોતાને સાચું કહેતે જણાવી, મારે છેટું કહેવા બદલ પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ એમ કહે છે. તે આનંદ પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ કે મારે ?”
ભગવાને કહ્યું: “હે ગૌતમ! આનંદનું કહેવું સાચું છે; માટે તારે જ પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ. માટે તું આ બાબતમાં આનંદ શ્રમણોપાસકની ક્ષમા માગી આવ.” [૬]
ઇંદ્રભૂતિ ગૌતમ તુરત આનંદની પૌષધશાળામાં ગયા, અને પોતે કહેલી બેટી વાત બદલ માફી માગી. [૭] • ત્યારબાદ શ્રમણભગવાન મહાવીર વખત થયે વાણિજ્ય-ગ્રામમાંથી નીકળી, બહારના પ્રદેશમાં વિહરવા લાગ્યા.
શ્રમણોપાસક આનંદર આ પ્રમાણે ઘણાં શીલવ્રત વગેરે દ્વારા પોતાના આત્માને શુદ્ધ કરી, વીસ વર્ષ સુધી શ્રમણોપાસકપણું પાળી, તે દરમ્યાન અગિયારે ઉપાસક
૧, આમ, થયેલા દોષે યાદ કરી જવા, અને તેમની કબૂલાત કરીને પ્રાયશ્ચિત્ત સ્વીકારવું, –એ બે ક્રિયાઓ પ્રતિક્રમણ અને આલોચના કહેવાય છે. તે ક્રિયાઓ રજ નિયમિત કરવાની હોય છે; તેમ જ આવી બહાર જવાઆવવા વગેરેની ક્રિયા પૂરી થયે દિવસ દરમ્યાન પણ કરવાની હોય છે.
૨. જુઓ પુસ્તકને અંતે ટિપગ નં. ૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW