SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરના દશ ઉપાસકો ગૌતમે કહ્યું, “હા, થાય.” આનંદે કહ્યું: “હું ગૃહસ્થ હોઈ, ઘરમાં રહેતા હોવા છતાં, મને પણ અવધિજ્ઞાન થયું છે, અને અહીં રહ્યો રહ્યો પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં પાંચસે જન સુધીના લવણસમુદ્રના ક્ષેત્રને, ઉત્તરમાં ચુલ્લહિમવંત વર્ષધર પર્વત સુધી, ઉપર સૌધર્મ ક૫ સુધી, અને નીચે રત્નપ્રભામાંના લુચ્ચય નરક સુધીના ક્ષેત્રને જોઈ તથા જાણે શકું - ગૌતમ બેલ્યા, “ગૃહસ્થને અવધિજ્ઞાન તો થાય છે, પણ આટલું મોટું થઈ શકતું નથી. માટે હે આનંદ! તું તારી ભૂલ સ્વીકાર અને તેનું પ્રાયશ્ચિત્ત કર!” [૪] આનંદે કહ્યું -“હે ભગવન ! જે વસ્તુ સાચી હોય, તથ્યરૂપ હોય, અને સદ્ભુત હોય, તે બદલ પણ જિન સિદ્ધાંતમાં પ્રાયશ્ચિત્ત કરવું પડે? જે ન કરવું પડે, તે પછી તમારે જ આ બાબતમાં (આવું મને કહેવા બદલ) ખરી રીતે પ્રાયશ્ચિત્ત કરવું પડે તેમ છે. માટે તમે જ પ્રાયશ્ચિત્ત કરે.” [૮૫] આ સાંભળી ગૌતમ શંક્તિ થઈને ભગવાન પાસે આવ્યા. ત્યાં આવી, (પ્રથમ તે, આચાર પ્રમાણે) ભગવાનથી બહુ દૂર નહીં, અને બહુ પાસે નહીં એમ ઊભા રહીને, પોતાને માર્ગમાં જતાં આવતાં થયેલા દોષ યાદ કરી ગયા, ૧. મૂળઃ નવરને અર્થાત જિનપ્રવચન – જિને ઉપદેશેલે શાસ્ત્ર સિદ્ધાંત. ૨. મૂળમાં “શંકા, કાંક્ષા અને વિચિકત્સા કરતા” – એમ છે. જુએ પાને ૨૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org WWW
SR No.004867
Book TitleBhagvana Mahavira na Das Upasako
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1948
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy