________________
૨૪
ભગવાન મહાવીરના દશ ઉપાસકો ગયાં. પંદરમા વર્ષને વચગાળે એકવાર મધ્યરાત્રે જાગરણ કરી તે ધર્મચિંતનમાં બેઠા હતા, તેવામાં તેને આ પ્રમાણે વિચાર આવ્યો –
હું આ વાણિજ્યગ્રામમાં ઘણા લોકોને પૂછવાનું સ્થાન છું, સલાહકાર છું, અને મારા કુટુંબને પણ આધાર છું. આ વિક્ષેપને લીધે હું ભગવાન મહાવીર પાસે સ્વીકારેલી ધર્મસાધના પ્રમાણે બરાબર વતી શકતું નથી. તેથી, આવતી કાલે સૂર્ય ઊગતાં, મારાં કુટુંબીઓને ભજનનું નિમંત્રણ આપીને ભેગાં કરી, તેમની સમક્ષ મારા મેટા પુત્રને આ બધે ભાર સોંપું; અને પછી પુત્રની તથા તે સૌની રજા લઈ, કલ્લાક પરામાં ત્યાં જાઉં, અને (અમારા) જ્ઞાતૃવંશીઓના મહેલામાં આવેલી (અમારી) પૌષધશાળાને જોઈ–તપાસી, તેમાં રહું; અને ભગવાન મહાવીરે પ્રરૂપેલા ધર્મમાર્ગને અનુસરું. એ જ મારે માટે હિતકર કહેવાય.”
આવો વિચાર કરી, આનંદે બીજે દિવસે વહાણું વાયે, ભજનનું નિમંત્રણ આપી પિતાનાં સગાંસંબંધીને તેડાવ્યાં; અને પુષ્કળ ભેજનસામગ્રી તૈયાર કરાવીને, તેમની સાથે ભોજન કર્યું. ત્યાર બાદ તેણે તે સૌ સગાં-સ્વજનનું ફૂલહાર
१. पुत्ररत्तावरत्तकालसमयंसि । ૨. અસ્થિર છે. 3. મૂળ: ધર્મકશક્તિ ૪. જ્ઞાતૃવું ! ૫. પૌષધવત ધારણ કરીને રહેવા માટેનું અલગ મકાન. ૬. મહાવીર ભગવાનની પાસે જાણેલી ધર્મ પ્રજ્ઞમિ, તેને સ્વીકારીને ) રહું
૩િપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org