SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરના દશ ઉપાસકે તથા ઘરવખરી–એ બધાનું જે પ્રમાણ નકકી કર્યું હોય તેને (બીજી રીતે ઓળંગી જવું. [૪૯] “[૬] દિવ્રત ધારણ કરનાર શ્રાવકે અતિચારરૂપ નીચેની પ્રવૃત્તિઓ ન કરવી – ઉદેવ દિશામાં, અધ દિશામાં, અને તિર્ય દિશામાં જવા-આવવા માટે નકકી કરેલા પ્રમાણનું ઉલ્લંઘન કરવું (એ ત્રણ), વેપાર કે કઈ વ્યવહારુ કામ માટે ધારેલા ક્ષેત્રના માપમાં વૃદ્ધિ કરવી (અર્થાત એકનું બાકી રહેલું માય બીજામાં વધારવું), તથા પ્રવાસને અંગે (મર્યાદાની) ચોક્કસ સ્મૃતિ ન રાખવી. [૫૦] * [૭] ઉપભેગ-પરિભેગ—પરિમાણ વ્રત ધારણ કરનાર શ્રાવકે ઉપભેગ-પરિભેગને ભેજન” (ભેગ) અને (તે ભેગનાં સાધન મેળવવા માટે કરાતાં) “કર્મ” (આજીવિકા) એમ બે પ્રકારે સમજવો. હવે “ભેજન”ની મર્યાદા સુરક્ષિત રાખવા અંગે અતિચારરૂપ નીચેની પાંચ પ્રવૃત્તિઓ ન કરવી:– સજીવ વસ્તુ ખાવી, સજીવ વસ્તુ સાથે સંબંધવાળી વસ્તુ ૧. અર્થાત ખેતર કે ઘર નવું લીધું -કર્યું હોવા છતાં, જૂના ખેતર કે ઘરની પાસે જ લઈ- કરીને મેળવી દેવું. અને સંખ્યાનું ઉલ્લંઘન થયેલું ન માનવું; ધાતુનાં વાસણની સંખ્યા કાયમ રાખે, પણ તેમના વજન-કદ્દમાં ફેરફાર કરે; ઢેર વગેરેમાં નવા પ્રસવથી થતી વૃદ્ધિને સંખ્યાની મર્યાદામાં ન ગણે; વપરાશથી અમુક સંખ્યા ઓછી થાય ત્યારે ઉમેરી લેવા કામમાં આવે તે માટે પહેલેથી બીજાને ત્યાં મૂકી રાખે, વગેરે રીતે. .? ૨. ચેકસ મર્યાદાની સ્મૃતિ ન રાખવી, અને એક મર્યાદાને ઓછી કરી બીજને વધારવી એ બે (અથતિ પાંચમા અને ચોથા સિવાય બાકીના અતિચાર તે ચા વ્રતભંગ જ કહેવાય. એટલે પાંચની સંખ્યા પૂરી કરવા જ દિશાના પહેલા ત્રણ પ્રકારે ઉમેર્યા છે, એમ કહેવું જોઈએ. જુઓ પુસ્તકને અંતે ટિપ્પણું નં. ૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004867
Book TitleBhagvana Mahavira na Das Upasako
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1948
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy