________________
છે અને કોઈ પણ એક જીવનસિદ્ધાંત ગળે ઊતરે કે એ પ્રમાણે જીવન ગાળવાનો એમને આગ્રહ પણ દેખાઈ આવે છે. શક્તિશાળી, દઢનિશ્ચયી, ઉતાવળા એમ અનેક પ્રકારના ઉપાસકે ભગવાનના અંતેવાસી થઈ દીક્ષા ગ્રહણ કરે છે. આ વ્યવહારકુશળ ઉપાસકને પોતાની શક્તિ અશક્તિને પૂરતે ખ્યાલ છે. વિલાસી જીવન એકદમ શી રીતે છૂટે? એટલે ધર્મની સમજ થયા છતાં, તેઓ પરમ આદર્શ ધ્યાનમાં રાખી પિતાની શક્તિ પ્રમાણે સૌમ્ય વ્રત લઈ ધીમે ધીમે આગળ વધે છે. જેઓ ઉતાવળે ગૃહત્યાગ કરે છે તેમને ભાગે પસ્તાવાનું, ચિડાવાનું, પાછા પડવાનું કે વિકૃત જીવન ગાળવાનું આવે છે. એવાઓના દાખલા “ધર્મકથાઓ'માં આપણે જોયા છે. આ કુશળ વયે એવી ભૂલ કરતા નથી. સમજણમાં સહેજ ભૂલ થાય, કેકના ઉપર જરાક ક્રોધ થઈ જાય તો તેઓ તરત એનું પ્રાયશ્ચિત્ત કરી સાફ થઈ જાય છે અને આગળ વધે છે. એમની આ યથાક્રમ પ્રગતિ જોઈ ભગવાન મહાવીર પણ સંતુષ્ટ થાય છે અને પિતાના સંન્યાસી નિગ્રંથેને આ વૈશ્યના જીવન ઉપરથી બોધ લેવાનું સૂચવે છે. અને એ શ્રમણનિગ્રંથ પણ આ ઉપાસકોની પ્રગતિ જોઈ નમ્રપણે વિનયથી ભગવાનની શિખામણ સ્વીકારે છે. લીધેલી દીક્ષા યોગ્ય રીતે પાળવાની શક્તિ હવે શરીરમાં રહી નથી એવો અનુભવ થાય, એટલે “સંયમ ધર્મ પાળવો શક્ય હોય ત્યાં સુધી જ શરીર ટકાવાય” એ બેધ સાચો કરવા, તેઓ શરીરને લોભ ન રાખતાં આહાર તદ્દન બંધ કરીને સ્વેચ્છાએ મૃત્યુને ભેટે છે; અને આ રીતે મરણાંત સુધી સ્મૃતિયુક્ત અને સમાધિપરાયણ રહે છે. મરણ આવીને ઝડપી જાય એવી દયામણી સ્થિતિમાં તેઓ રહેવા નથી માગતા. માણસની પ્રતિષ્ઠા એમાં જ રહેલી છે કે સમય સમજી એ પોતાની મેળે પિતાનું મરણ નકકી કરે અને તેને અમલમાં મૂકે.
પુરાણોના દેવોની પેઠે જૈન શાસ્ત્રના દેવ પણ તપસ્યાના બીકણુ હોય છે. કોઈ ઉગ્ર તપસ્યા કરે છે અને એમાંથી ચળાવી નીચે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org