SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ભગવાન મહાવીરના દશ ઉપાસકે ચુક્ત થઈ, અસમાધિવાળી બનીને, મરણ પામીશ; તથા રત્નપ્રભા પૃથ્વીને લુચ્ચય નરકમાં ૮૪૦૦૦ વર્ષ સુધી નરકગતિનું દુઃખ ભોગવીશ.” [૨૫૪-૫] મહાશતકનું કથન સાંભળીને રેવતીને લાગ્યું કે, એ શ્રમણોપાસક મારી ઉપર ગુસ્સે થયે છે, તેને હું ગમતી નથી; મારે તે તિરસકાર કરે છે; ખબર નહિ મારે કેવી ખરાબ રીતે તે ઘાત કરશે. એમ વિચાર કરીને ભય તથા ત્રાસથી ઉદ્વેગ પામી, ખેદ કરતી કરતી તે ધીરે ધીરે પિતાને ઘેર પાછી આવી ગઈ અને ચિંતાતુર થઈ, હાથ ઉપર માથું અઠીંગી, આંખે જમીન ઉપર ઠેરવી, ભારે ફિકરમાં પડી ગઈ. પછી મહાશતકના કહ્યા પ્રમાણે અલસ રેગથી પીડાતી, સાત રાતમાં મરણ પામીને, તે નરકગતિએ ગઈ. [૨૫૬-૭) તે વખતે ભગવાન મહાવીર રાજગૃહના ગુણશિલ ચિત્યમાં આવીને ઊતર્યા. ભગવાન મહાવીરે “ગૌતમ !” એમ કહીને પિતાના પટ્ટશિષ્ય ગૌતમને બેલા અને રેવતી તથા પોતાના શિષ્ય શ્રમણોપાસક મહાશતક વચ્ચે થયેલે વિખવાદ તેને કહી સંભળાવ્યો અને કહ્યું – “અંતિમ સંલેખનાને સ્વીકારીને રહેતા શ્રમણોપાસકે કેઈને સાચું હોય તો પણ અનિષ્ટ અને અપ્રિય વચનથી કાંઈ કહેવું ન ઘટે, તથા કાધ કર ન ઘટે. તે હે દેવાનુપ્રિય ! તું તેની પાસે જ અને મારી આ વાત તેને કહે તથા તેને પિતાના અપરાધની કબૂલાત કરાવી પ્રાયશ્ચિત્ત વડે શુદ્ધ કર.” [૨૫૮-૯] 2. અવસ્થાત ! Jain Education International auona! For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004867
Book TitleBhagvana Mahavira na Das Upasako
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1948
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy