________________
૯. મહાશતક
૧૦૩
હવેથી મારે એ દ્રોણુ માપની હિરણ્ય ભરેલી એક પાલી ( કાંસ્યપાત્રી )થી જ વ્યવહાર કરવા ખપે. [૨૩૫]
એ રીતે વ્યવહાર કરતા, અને જીવાજીવનું સ્વરૂપ જાણતા તે મહાશતક શ્રમણેાપાસક સુખે સુખે રહેવા લાગ્યા. શ્રમણુભગવાન પણ ત્યાંથી નીકળી બહારના પ્રદેશમાં વિહરવા લાગ્યા. [૨૩૬-૭]
મહાશતકની ભાર્યાં રેવતીને કૌટુંબિક ચિંતામાં જાગતાં જાગતાં એક વાર મધ્યરાત્રીએ એવા વિચાર આવ્યા કે મારે ખરબાર શાક્ત્યની આડ હાવાથી હું સારી રીતે મહાશતક સાથે ઉત્તમ એવા માનુષી કામભાગે ને ભાગવી શકતી નથી. માટે ઠીક તા એ છે કે એ ખરે શાકચોને અગ્નિ, શસ્ત્ર કે વિષપ્રયાગથી હું મારી નાખું અને તેમનું એકએક કરોડ (પાલી ) સેાનું તથા ગાયાના ત્રજ મેળવીને મહાશતક સાથે સુખે સુખે રહું. [૨૩૮]
આ વિચારથી તે તેમ કરવાના લાગશેાધવા લાગી; અને લાગ મળતાં જ તેણે છને શસ્ત્રથી અને છને વિષથી મારી નાખી. ત્યારખાદ તેમનાં ધન તથા વ્રજ લઈને મહાશતક સાથે તે સુખે સુખે રહેવા લાગી. [૨૩૮-૯]
તે રેવતી માંસલેાલુપ હતી અને અનેક પ્રકારના સાળા તથા તળેલાં અને ભૂજેલાં માંસા, તેમ જ સુરા, મધુ, મેરય, મદ્ય, સીધુ અને પ્રસન્ના જેવા દારૂઆને આસ્વાદ કરતી રહેતી હતી. [૨૪૦]
૧. મૂળ: આંતરે, છિદ્ર અને વિરહ (એકલાપણું ).
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org