SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ હજ ભગવાન મહાવીરના દશ ઉપાસકે “એટલે પરાક્રમી વીર મનુષ્ય વિષયસંગથી પ્રાપ્ત થતા બંધનના સ્વરૂપને અને પરિણામે પ્રાપ્ત થતા જન્મમરણરૂપી શેકને જાણીને સંયમી થવું, તથા મેટાં અને નાનાં – બધી જાતનાં રૂપમાં વૈરાગ્ય ધારણ કર. જન્મ અને મરણમાં રહેલાં દુઃખને તથા તેમના હેતુરૂપ સકામ પ્રવૃત્તિ અને હિંસાને સમજીને, સંયમ સિવાય બીજી તરફ ન જાઓ! હિંસા ન કરે કે ન કરાવો! તૃષ્ણામાં નિર્વેદ પામ! કામોમાં વિરક્ત થઈ ઉચ્ચદશી થાઓ! સંસારના આંટાફેરા સમજીને રાગ અને દ્વેષથી અસ્પૃષ્ઠ રહેતો માણસ આ સંસારમાં કશાથી છેદા નથી, ભેરાતો નથી, બળાતો નથી કે હણાતો નથી. “માયા વગેરે કષાવાળા તથા વિષયાસક્તિરૂપી પ્રમાદથી યુક્ત મનુષ્ય ફરી ફરીને ગર્ભમાં આવે છે. પરંતુ શબ્દ અને રૂપમાં તટસ્થ રહે, સમજદાર, અને મૃત્યુથી ડરતો મનુષ્ય જન્મમરણમાંથી મુક્ત થઈ શકે છે. જગતનાં કિંકર્તવ્યમૂઢ, અને દુઃખસાગરમાં ડૂબેલાં પ્રાણીઓને જોઈને અપ્રમત્ત મનુષ્ય સર્વ તજી, સંયમ ધર્મ સ્વીકાર અને તેના પાલનમાં પ્રયત્નશીલ થવું. જેમને સંસારના સર્વ પદાર્થો પ્રાપ્ત હતા તેવાઓએ પણ તેમને ત્યાગ કરી, સંયમધર્મ સ્વીકાર્યો છે. માટે જ્ઞાની પુરુષે એ બધું નિસાર સમજી, સંયમ સિવાય બીજાનું સેવન ન કરવું. “હે મનુષ્ય ! તું જ તારો મિત્ર છે. બહારના મિત્રની શધ છેડી, તું તારા જ આત્માને નિગ્રહમાં રાખ. તે રીતે તું દુઃખમાંથી મુક્ત થઈ શકીશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004867
Book TitleBhagvana Mahavira na Das Upasako
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1948
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy