________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકે તે વખતે શ્રમણભગવાન મહાવીરે આજીવિકાપાસક સદ્દાલપુત્તને કહ્યું –
હે સદ્દાલપુત્તઆ માટીનું વાસણ કેવી રીતે બન્યું છે?” [૧૬]
સદાલપુત્તે જવાબ આપ્યો :–“હે ભગવાન! પહેલાં એ માટીરૂપે હતું. તે માટીને પાણીથી પલાળવામાં આવી, તથા તેમાં રાખ અને લાદ મેળવવામાં આવ્યાં. પછી તેને ચાક ઉપર ચડાવવામાં આવી, ત્યારે આ વાસણ બન્યું છે.”
તે સાંભળીને ભગવાન મહાવીરે કહ્યું હે સાલપુત્ત! આ વાસણ બને છે, તે ઉદ્યમ, બળ, વગેરેથી બને છે કે એ વિના જ બને છે? [૧૮]
સાલપુત જવાબ આપ્યોઃ ભગવદ્ ! ઉદ્યમ, બળ, વગેરે વિના બને છે. કારણ કે બધા ભાવો પહેલેથી હંમેશને માટે નિયત થયેલા છે. (નો ફેરફાર કશાથી થઈ શકતે નથી.) [૧૯]
ભગવાને ફરી સદ્દાલપત્તને પૂછ્યું કે માણસ તારાં આ કાચાં કે પાકાં વાસણે ઉપાડી જાય, ફેંકી દે, કે ફેડી નાખે, અથવા તારી આ અગ્નિમાત્રા ભાર્યા સાથે ભેગે ભેગવે, તો તે તેને શિક્ષા કરે કે નહીં?
સદ્દાલપુત્ત બોલ્યોઃ ભગવાન ! જરૂર હું તે પુરુષને ધમકાવું, મારું, બાંધું, ગળું, તરછોડું, તાડું, દંડું, નિર્ભના કરું, તેમ જ અકાળે વિતરહિત કરું. [૨૦]
૧. કારેન ચ રિસેન !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org