________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકે ઘડા (કરા), ગાડવા (વા), કડાયાં-બેડાં (હિ), કળશ, અલિંજર, ચંબુ (લવૂઝ) અને ઊંટ ઉપર પાણી લાવવાનાં મટકાં (ક્રિયા) બનાવે છે, તથા બીજા અનેક પગારદાર પુરુષે તેમને રાજમાર્ગોમાં વેચે છે. [૧૮]
એક વખત આજીવિકપાસક સદાલપુત્ત, અશેકવનિકામાં જઈ મંખલિપુત્ત ગોશાલ પાસેથી જાણેલા ધર્મમાર્ગ અનુસાર સાધના કરતા હતા. તેવામાં ત્યાં તેની પાસે ઘૂઘરીઓવાળાં વસ્ત્ર પહેરેલો એક દેવ પ્રગટ થયો. તે આકાશમાં અધર રહીને કહેવા લાગેઃ “હે દેવાનુપ્રિય! કાલે અહીં એક મહાબ્રાહ્મણ આવનાર છે. તે પરિપૂર્ણ રીતે પ્રગટેલા જ્ઞાનદર્શન ધારણ કરનાર છે, અતીત-વર્તમાનભવિષ્યના જાણકાર છે, અરિહંત-જિન-કેવલી-સર્વજ્ઞસર્વદશી છે, લોધે ભાવપૂર્વક નિહાળેલા-માનેલા-પૂજેલા, છે; દેવ-મનુષ્ય-અસુર સહિત આખા લકે અચવા લાયક, વંદવા લાયક, સત્કારવા લાયક, સંમાનવા લાયક, તથા કલ્યાણ-મંગળ-દેવત-ચૈત્યની જેમ ઉપાસવા લાયક છે, અને તથ્ય કર્મોથી યુક્ત છે. તે તે તેમનું વંદન-પૂજન કરજે, અને નિર્દોષનિજીવ એવાં ખાન-પાન-મે મુખવાસ તથા
૧. માટીનું મોટું વાસણ. ૨. વિસિં જેમાના વિરત્તિ . ૩. આવરણ કરનાર કર્મોને ક્ષય થવાથી બરાબર-પરિપૂર્ણ રીતે પ્રગટેલાં.
૪. રાગદ્વેષાદિ અરિ-શત્રુને હણનાર. અથવા (મર્દ) પૂજાને ગ્ય (અદૈવ) ૫ રાગદ્વેષાદિને જીતનાર.
૬. આત્મા ઉપરથી કર્મનાં આવરણ દૂર થતાં પ્રગટતું સર્વ પદાર્થોના સર્વે ભાવ બતાવનારું કેવળજ્ઞાન જેણે પ્રાપ્ત કર્યું છે તેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org