________________
ભગવાન મહાવીરના દશ ઉપાસક અને નિગ્રંથીઓ તે અન્યતીથિને અર્થ, હેતુ, પ્રશ્ન, કારણ અને ખુલાસા વડે જરૂર નિરુત્તર કરી શકે જ! [૧૭૪
ભગવાનની આ વાત તે શ્રમણ નિર્ચ અને નિર્ચથીએ વિનયથી સ્વીકારી. [૧૫]
કુંડકલિક ત્યાર બાદ ભગવાનને કેટલાક પ્રશ્નો પૂછીને તથા તેમના જવાબે બરાબર સમજીને પિતાને ઘેર ચાલ્યા ગ. [૧૭૬]
ભગવાન મહાવીર પણ ત્યાંથી નીકળી બહારના પ્રદેશમાં વિહરવા લાગ્યા. [૧૭૭]
પિતે લીધેલાં શીલવ્રત અને ગુણવ્રત વગેરે પાળતાં પાળતાં કુંડકાલિક શ્રમણે પાસકનાં ૧૪ વર્ષો વીતી ગયાં. પછી પંદરમા વર્ષના વચગાળામાં તે, કામદેવ શ્રમણપાસકની પેઠે, પોતાના મોટા પુત્રને પોતાને બધે કારભાર સંપીને, તેની અનુમતિથી પૌષધશાળામાં રહ્યો, અને ભગવાને બતાવેલ ધર્મમાગને અનુસરવા લાગ્યું. તેણે ત્યાં શ્રમણપાસકની અગિયારે પ્રતિમાઓ એક પછી એક સારી રીતે પાર કરી. છેવટે મારણાંતિક સંલેખના સ્વીકારીને સમાધિપૂર્વક મરણ પામી, તે સૌધર્મકલ્પમાં અરુધ્વજ વિમાનમાં દેવ થયો. ત્યાં ચાર પોપમ વર્ષનું આયુષ્ય પૂરું કરીને, મહાવિદેહવાસ પામી, તે સિદ્ધ બુદ્ધ અને મુક્ત થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org