________________
૨ : હિંથ્યા કે પ્રતિહિંસાથી વૈ ામતું નથી પણ વધે છે
અનંત ઉપકારી ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન શ્રીમહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર ભગવંત શ્રીસુધર્માસ્વામીજી મહારાજાએ શ્રી સૂયગડાંગસૂત્ર નામના મહાન અંગ આગમમાં સૌભાગ્યનિધિ શ્રી જંબૂસ્વામીજીને ઉદ્દેશીને આત્મજાગૃતિનો નાદ સંભળાવ્યો છે અને તે સંભળાવ્યા પછી બંધનને ઓળખવાનું અને તેને તોડવાનું અત્યંત ભારપૂર્વક ઉપદેશ્યું છે.
આ ઉપદેશ સાંભળ્યા બાદ શ્રી જંબૂસ્વામીજીએ શ્રી સુધર્માસ્વામીજીને પૂછ્યું કે, ‘ભગવાન મહાવીરે બંધન કોને કહ્યું છે, તેને કઈ રીતે જાણવાનું અને તોડવાનું કહ્યું છે ?’ એના જવાબમાં આ મહાન ગ્રંથનું અવતરણ થયું છે.
આત્માને અનાદિકાળથી જે કર્મબંધનો વળગેલાં છે, તેને વિશિષ્ટ જ્ઞાન સિવાય કોઈ જાણી શકતું નથી. કર્મનાં બંધનોને અને એ બંધનોથી પળે-પળે બંધાતા આત્માને વિશિષ્ટ જ્ઞાની સિવાય કોઈ જોઈ શકતું નથી.
અરૂપી એવા પણ આત્માને બાંધવાનું સામર્થ્ય ધરાવતાં એ કર્મો આત્માને જે વળગી શકે છે, તેમાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદ કામ કરી રહ્યા છે.
આ મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદના કારણે પેદા થતી આત્માની પરિણતિ, પરિણામધારાને પણ વિશિષ્ટ જ્ઞાની સિવાય કોઈ જોઈ શકતું નથી.
જ્યારે બંધન, બંધનનાં કારણો, બંધાતો આત્મા અને આત્માની તે તે સમયની પરિણતિ વિશેષ જ્ઞાની સિવાય કોઈ જોઈ શકતું નથી, ત્યારે જેણે એ
-Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org