________________
૯: માયા દેખી મુનિવટ થળઃ
અર્થનો અનર્થકારિતા ઃ
અનંત ઉપકારી, ચરમતીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર ભગવંતશ્રી સુધર્માસ્વામીજી મહારાજા સૂયગડાંગજી સૂત્રના માધ્યમથી આત્માને અનાદિકાળથી લાગેલાં બંધનોને જાણવાનો અને તે જાણીને તોડવાનો ઉપદેશ આપી રહ્યા છે. પુનરાવર્તન કરી લઈએ :
અનંત જ્ઞાન, અનંત દર્શન, અવ્યાબાધ સુખ અને અનંત વીર્ય વગેરે ગુણનો માલિક એવો પણ આત્મા જે રીતે અત્યારની સ્થિતિમાં મૂકાયો છે, ચાર ગતિ, ચોર્યાશી લાખ યોનિ અને ચૌદ રાજપ્રમાણ - આ વિશ્વમાં આમથી તેમ ભટકી રહ્યો છે, આ બધાનું મૂળ જો કોઈ હોય તો તે કર્મનું બંધન છે. તેનું પણ જો કોઈ મૂળ હોય તો તે પરિગ્રહ, હિંસા અને મમતા છે. આ ત્રણ બંધનથી કર્મનાં બંધનનું સર્જન થાય છે. જેના પરિણામે આત્મા નિરંતર સંસારમાં રઝળી રહ્યો છે. આ વિચારણા છેલ્લા ઘણા દિવસોથી આપણે કરી રહ્યા છીએ. આ પરિસ્થિતિમાં આજે પુનરાવર્તનનો તબક્કો રાખીએ. અત્યાર સુધીમાં જે વિચારી ગયા છીએ, તેનો સાર ટુંકાણમાં પણ વાગોળી લઈએ. કેમ કે સૂત્રકાર પરમર્ષિ આ જ ગ્રંથમાં હવે એક નવું જ બંધન બતાવવાના છે કે, જેમાં જગતનો મોટો ભાગ ફસાયેલો છે. એ બંધનની મારે વાત કરવી છે, પણ તે આવતીકાલથી કરીશું.
આજ સુધી અહીં તમે જે સાંભળ્યું, તેનો સારાંશ પણ તમને યાદ છે કે નહિ, તમે અહીંથી ગયા બાદ એને વાગોળો છો કે નહિ, એનો ભાવાર્થ સમજવાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org