________________
૪ - હિંસાનો વ્યાપ થી હીતે ઘટાsો?
27
- વિ. સં. ૨૦૫૮, શ્રાવણ વદ-૪, મંગળવાર, તા. ૨૭-૦૮-૦૨, સાચોરી ધર્મશાળા, પાલીતાણા
• બીજા જીવના જીવત્વનો ક્યારેય વિચાર ♦ તમારાં ઘરોમાં કતલખાનાં ચાલે છે : કર્યો છે ? :
♦ એ પાપનાં ફળ કેવાં ?
• આજના હિંસક ધંધા :
• વિજળીને નિર્જીવ કહેનારા સ્વચ્છંદી છે :
• જૈનના ઘરમાં જીવવચાર સહેજે શીખવા મળે :
આ ટેન્શનની વાત નથી પણ જાગૃતિની વાત
છે ઃ
વિષય : ઘેર ઘેર ઘર કરી ગયેલી હિંસા.
પરિગ્રહથી દુ:ખનું બંધન ઉભું થાય છે તો હિંસાથી વૈરનું બંધન ઉભું થાય છે. ક્ષણિક સુખાસિકા ખાતર અન્ય કોમળ જીવોનો ખુડદો બોલાવી દેતાં વિચાર આવતો નથી કે આવતી કાલે હું એ સ્થાને હોઈશ અને એ કે બીજા જીવો મારી પણ આ જ દશા કરશે. રોજ રોજ કેટકેટલા જીવોની કેવી કેવી રીતે હિંસા થઈ રહી છે ? એનાં કેવાં દારુણ પરિણામ આવે છે ? સર્પ, ગાય-બળદ, અળસીયાં, વાંદા ને દેડકાથી લઈ ઉત્તમ ખાનદાન તરીકે ઓળખાતા ઘરોમાં છેક પંચેન્દ્રિય મનુષ્યની (ભ્રૂણહત્યા) બેરહમીથી કેવી ને કેટલી હિંસા થઈ રહી છે ? એ અને એવી અનેક વાતોનો પર્દાફાશ કરીને એ હિંસાના પાપથી કઈ રીતે બચી શકાય એના વ્યવહારુ ઉપાયો પણ આ પ્રવચનમાં બતાવવામાં આવ્યા છે.
પ્રવચનનું પ્રતિબિંબ
* મમતામાં અંધ બનેલા જીવો આગળ-પાછળનો વિચાર કરી શકતા નથી.
* કાં તો તમે બાપના હોંશિયાર - ડાહ્યા દીકરા બનો, નહિ તો છેવટે બાપના કહ્યાગરા દીકરા બનો ! બેમાંથી એક પણ ન બની શકો તો બાપ તમારું કલ્યાણ શી રીતે કરી શકે ?
* કાં તો તમે સ્વયં ભણી-ગણીને શાસ્ત્રના પારગામી બનો ! અને જ્યાં સુધી એ ક્ષમતા ન આવે ત્યાં સુધી જ્ઞાનીના વચન ઉપર વિશ્વાસ રાખી એમના કહ્યા મુજબ જીવન જીવવાનો નિર્ધાર કરો !
* જેઓ સ્વચ્છંદ જીવન જીવે છે, જે કોઈના નિયંત્રણમાં નથી, જેઓ સાચી રીતે વિચારીએ તો જૈનશાસનમાં જ નથી.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org