________________
૨ આત્માની અનુભૂતિથી પાઘનાનો પ્રારંભ
અનંત ઉપકારી, ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર શ્રીસુધર્માસ્વામીજી મહારાજાએ પરમાત્માના પાવન મુખેથી ત્રિપદીનું શ્રવણ કરી અન્ય ગણધરોની જેમ જ માત્ર અંતર્મુહૂર્તમાં સમગ્ર દ્વાદશાંગીની રચના કરી.
પરમાત્માએ પોતાના કેવળજ્ઞાન અને કેવળ દૃષ્ટિથી તેને પ્રમાણી. તે દ્વાદશાંગી પૈકીનું બીજું અંગ આગમ : સૂયગડાંગ જેનું નામ, તે મહાન આગમ ગ્રંથરત્ન દ્વારા તે મહાપુરુષોએ બંધનને ઓળખીને તોડવા માટેનો ઉપદેશ આપ્યો છે.
પહેલા અંગ : શ્રી આચારાંગમાં આત્માની ઓળખ આપી છે. ત્યાં; આત્મા આત્માને ઓળખતો નથી, તેનો ખેદ વ્યક્ત કરવામાં આવ્યો છે. આત્મા ઓળખાયા પછી, તેની અવદશા જાણ્યા પછી બંધનને ઓળખવાનો અને ઓળખાયેલા બંધનને તોડવાનો માર્ગ આ બીજા શ્રી સૂયગડાંગ આગમ ગ્રંથમાં બતાવવામાં આવ્યો છે.
શ્રી સૂયગડાંગ સૂત્રનો પહેલો શ્રુતસ્કંધ, તેનું પહેલું અધ્યયન, તેનો પહેલો ઉદ્દેશો, તેની પહેલી ગાથા અને તેનું પહેલું પદ છે : ક્િઝ' પહેલી ગાથામાં રત્નત્રયીનો નિર્દેશ:
સૌથી પ્રથમ પદ એ સમ્યગ્દર્શનનું પ્રતીક છે. જ્યારે પહેલી અડધી ગાથામાં આખી રત્નત્રયીનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આ પદો જો બરાબર યાદ રાખશો તો તેમાં કેટલું ઊંડાણ છે, તે જાણી શકશો.
ન્ફિ' એ સમ્યગ્દર્શનનું પ્રતિક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org