SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ : આત્માને ચારેય બાજુથી બાંધે તે પરિગ્રહ અનંત ઉપકારી, ચરમ તીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રીમહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર ભગવંત શ્રીસુધર્માસ્વામીજી મહારાજાએ જંબુસ્વામીજીને ઉદ્દેશીને બંધનને ઓળખવાનો અને તે બંધનને ઓળખ્યા બાદ તેને તોડવા માટેનો જે સાધનામાર્ગ બતાવ્યો છે, તેને શ્રીસૂયગડાંગ સૂત્ર સ્વરૂપે વણી લેવામાં આવ્યો છે. જ્યાં સુધી આત્મા જાગ્યો નથી, તેની પોતાના સ્વરૂપ ઉપર નજર મંડાણી નથી ત્યાં સુધી તેને બંધનની કલ્પના પણ થતી નથી. જેમ બેભાન ગમે તેટલાં બંધનથી બંધાયેલો હોય તો પણ તેને ‘હું બંધાએલો છું, સપડાયેલો છું કે પુરાએલો છું,' તેવી તેને કલ્પના પણ આવતી નથી. જોના૨ને લાગે કે એ પરમ શાંતિનો અનુભવ કરે છે; પણ જ્યારે ભાનમાં આવે અને પોતાની અત્યારની પરતંત્ર પરિસ્થિતિનો ખ્યાલ આવે ત્યારે થાય કે ક્યાં હું સ્વતંત્ર રીતે જીવનારો પૂરી દુનિયામાં ઈચ્છા મુજબ ફરી શકનારો અને ક્યાં આ અંધારી કોટડીમાં પુરાણો ? આંખે પાટા, મોઢામાં ડુચા, હાથ-પગમાં બેડી, ભાર-ભાર લાગે છે. કોણે કર્યું, કયારે કર્યું ને કઈ રીતે કર્યું, હું ક્યાં છું ? આ બધું વ્યક્તિ જ્યારે ભાનમાં આવે ત્યારે તેને ખબર પડે. આત્માના વિષયમાં પણ એવું જ છે. માટે જ શ્રી સુધર્માસ્વામીજીએ ‘બુગ્નિજ્ઞ' પદ દ્વારા સ્વરૂપનું ભાન કરાવીને બંધનને ઓળખાવવાનો અને ઓળખ્યા પછી તેને તોડવાનો જે ઉપદેશ આપ્યો તેને શ્રી જંબુસ્વામીજીએ વિનયપૂર્વક ઝીલ્યો, આદરપૂર્વક સાંભળ્યો અને જિજ્ઞાસાભાવે પ્રશ્ન કર્યો કે, ‘ભગવંત ! ભગવાન. શ્રી મહાવીરદેવે બંધન કોને કહ્યાં છે ? તેને કેવી રીતે જાણવાં ? અને તેને શું જાણીને તોડી શકાય ?’ તેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy