SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ઃ આરાધનામાં તિથિનું મહત્ત્વ - 5 1 – 79 છે તો ભાદરવા મહિનામાં શ્રી પર્યુષણા મહાપર્વ આવે છે ? આ દૃષ્ટિએ ચૈત્ર, આસો અને ભાદરવો આ મહિનાઓ મોટા ખરા કે નહિ? આરાધનાની દૃષ્ટિએ મોટા ગણાતા આ મહિનાઓ પણ જ્યારે બે આવે ત્યારે બે ચૈત્રના બદલે બે ફાગણ કે બે ભાદરવાના બદલે બે શ્રાવણ કોઈ કરતું નથી અને પૂનમ, અમાસની ક્ષયવૃદ્ધિએ કેટલાક વર્ગ જેમ તેરસની વૃદ્ધિ કરે છે, તેમ બે આસોની વૃદ્ધિ આવે ત્યારે બે શ્રાવણની વૃદ્ધિ પણ કોઈ કરતું જ નથી. પરંતુ તે જ મહિનાઓની વૃદ્ધિને માન્ય રાખીને પહેલા મહિનામાં તે મહિના નિમિત્તે કરવાની વિશેષ આરાધના ન કરતાં, બીજા મહિનામાં જ તે વિશેષ આરાધના કરે છે. બે ચૈત્ર કેબે આસો આવે ત્યારે ઓળીની આરાધના પહેલા ચૈત્ર કે પહેલા આસોમાં ન કરતાં બીજા ચૈત્રમાં અને બીજા આસોમાં જ કરે છે અને બે ભાદરવા આવે ત્યારે પહેલા ભાદરવામાં પર્યુષણ ન કરતાં બીજા ભાદરવામાં પર્યુષણ કરે છે અને પહેલા ચૈત્રમાં, ભાદરવામાં કે આસોમાં તે નિમિત્તે કરવાની કોઈપણ વિશેષ આરાધના કરતા નથી. છતાં આમાં કોઈને કાંઈ અજુગતું કે ખોટું નથી લાગતું તો પર્વતિથિમાં શા માટે એવું લાગે છે કે બે આઠમ, બે ચૌદશ આવે ત્યારે પહેલી આઠમ, ચૌદશને આઠમ, ચૌદશ બોલવા છતાં આપણે કાંઈ ન કરીએ તો કેવું લાગે ? જો કોઈપણ પ્રકારની ખોટી પક્કડ નહિ હોય તો આ વાત બરાબર સમજાશે ! ફરી તમને ટુંકમાં સમજાવી દઉં. જે સમયે સૂર્યોદય હોય તે સમયે જે તિથિ સૂર્યોદયને સ્પર્શે તે દિવસે તે તિથિ છે એમ માનવું. સૂર્યોદય સમયે જે તિથિ ભોગવટામાં હોય તેને ઉદયતિથિ કહેવાય. જે તિથિ એકપણ સૂર્યોદયને ન સ્પર્શે તેને ક્ષય તિથિ કહેવાય. તેનો નાશ હોતો નથી. તે તિથિ વિદ્યમાન છે. પણ ટુંકી-નાની હોવાથી સૂર્યોદયને અડતી નથી માટે ક્ષય કહેવાય છે. તેની આરાધના આગલે દિવસે થાય. એટલે આગળની તિથિમાં થાય. જે તિથિ લાંબી-મોટી હોવાથી બે સૂર્યોદયને સ્પર્શતી હોય તેને વૃદ્ધિતિથિ કહેવાય. બે સૂર્યોદયને અડે એટલે બે શુભ દિવસ નથી હોતા, પણ બીજે દિવસે શુભ કાર્ય (તિથિનું કાર્યો કરાય છે. આ આખી વાતને સમજવા માટે મિ0 અને ક્ષ પૂર્વાએવી જે બે ગાથા છે, તેનો અર્થ આપણે વિચારી ગયા છીએ. તેમાં આપણે એ પણ જોયું કે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy