SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ – ૫ ઃ આરાધનામાં તિથિનું મહત્ત્વ - 5 – 75 પણ આઠમ હોય અને મંગળવારે પણ આઠમ હોય. આ સ્થિતિમાં સોમવારે આઠમ સમાપ્ત થતી નથી. તેથી સોમવારે આઠમની આરાધના નહિ કરવાની અને મંગળવારે આઠમ સમાપ્ત થતી હોવાથી મંગળવારે જ આઠમની આરાધના કરવાની. આ જોતાં “વૃદ્ધો છે તથોત્તર ” સુત્રનો જે અર્થ કર્યો કે જે તિથિની વૃદ્ધિ હોય તેની આરાધના બીજા દિવસે કરવી તે અર્થ આ “સમાપ્ત તિથિના સૂત્રથી સાચો પુરવાર થાય છે, જે તમે પણ સમજી શકશો. વધુમાં એક “આચારદિનકર નામનો ગ્રંથ છે. જે અન્ય ગચ્છ (રૂદ્રપલ્લી) ના આચાર્યનો બનાવેલો હોવા છતાં તપાગચ્છના આચાર્યોએ એની ઠેર ઠેર સાક્ષી આપેલી છે, એટલું જ નહિ આજના મોટા ભાગના યોગ, તપ, અનુષ્ઠાનો, ક્રિયાવિધિ વગેરેનાં મૂળ એમાંથી મળી આવે છે. તે ગ્રંથનો પણ એક શ્લો-૧ - ઉદયતિથિ, ૨ – ક્ષયતિથિ અને ૩ – વૃદ્ધિતિથિ : આ ત્રણેય પ્રસંગોમાં કયા દિવસે આરાધના કરવી એ બાબતને સ્પષ્ટ કરે છે, ત્યાં લખ્યું છે કે – તિથિને તપસ શ્રેષ્ટા, સૂર્યતા તિથિઃ | तिथिपाते च पूर्वस्मिन्नह्नि वृद्धौ परत्र च ।।' ‘તિથિ નિમિત્તક તપમાં સૂર્યોદય સમયે જે તિથિ હોય તે જ શ્રેષ્ઠ છે. તિથિનો પાત થાય - ક્ષય થાય ત્યારે પૂર્વના દિવસમાં અને વૃદ્ધિ થાય ત્યારે પછીના દિવસમાં તપ-આરાધના કરવી.' આવા આંખે ઉડીને વળગે તેવા દીવા જેવા સ્પષ્ટ આધારો હોય પછી વિચારવાનું શું રહે છે ? પર્વતિથિની-ક્ષયવૃદ્ધિનાં પ્રમાણો : સભાઃ સાહેબ, હજુ એ વાત અમને સમજાતી નથી કે પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ થાય જ શી રીતે ? અવકાશી ગ્રહો એ મારી કે તમારી આજ્ઞા મુજબ ચાલતા નથી. તિથિમાં જે કોઈ ક્ષયવૃદ્ધિ વગેરે આવે છે, તે અવકાશી ગ્રહોની ગતિના કારણે આવે છે. એ કોઈ મારી કે તમારી કલ્પનાના આધારે ચાલતા નથી. તેમાં જે બને તે સ્વીકારવાનું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy