SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ 54 - ૧ - આગમ જાણો ! – કાળના સહારે એટલે કાલગ્રહણ આદિ યોગમાં બતાવેલ વિધિપૂર્વક. એટલે શુદ્ધ કાલ પ્રવર્તતો હોય ત્યારે જ અધ્યયનાદિ કરવું. સાધના માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવનું કેટલું મહત્ત્વ છે. તે “આ વર્ણન ઉપરથી સમજાવું જોઈએ. માત્ર ભાવની વાતને આગળ કરીને દ્રવ્ય-ક્ષેત્ર-કાળની વાતને ગૌણ કરવાનું છે એની ઉપેક્ષા કરવાનું જેઓ કહે છે તે કેટલું ખોટું કરી રહ્યા છે, તે પણ આના ઉપરથી સમજાવું જોઈએ. દિવસ-રાત્રિનો કાળ જેમ આપણે ત્યાં બતાવ્યો છે, તેમ તિથિનો ને નક્ષત્રનો વિભાગ પણ કાળમાં બતાવવામાં આવ્યો છે. જ્ઞાનમાં સહાયક બને તેવાં નક્ષત્રોમાં ભણવાથી કેવા કેવા લાભ થાય છે. તેમ ખરાબ નક્ષત્રમાં ભણવાથી કેવાં કેવાં નુકસાન થાય છે, તે પણ મહાપુરુષોએ બતાવેલ છે. નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા, વાંચીએ તો ખ્યાલ આવે કે મહાપુરુષોએ હિતકર વાતો કહેવામાં કાંઈ બાકી રાખ્યું નથી. એમનો ઉપકાર કેટલો અવર્ણનીય છે તે આથી સમજાય છે. આપણા સર્વસ્વની ન્યોચ્છાવરી કરી દઈએ તો ય એનો પાર પામી ન શકાય એટલો તેઓશ્રીનો મહાન ઉપકાર છે. આના જ અનુસંધાનમાં નક્ષત્ર, ગુણસંપદા આદિ બાબતો અંગે ગ્રંથકાર પરમર્ષિ હજુ આગળ શું ફરમાવે છે તે આપણે અવસરે જોઈશું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy