SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ – ૪: આગમના અધ્યયન માટે લાયક કોણ?-4 - 43 બની શકે છે. આગમ શાસ્ત્રોનું શ્રવણ કરનારના હૃદયમાં ગુરુ પ્રત્યે આવો અનુરક્તિનો ભાવ હોવો જોઈએ. જો આવો ભાવ હોય તો જ તેમની પાસે કરેલ આગમ અધ્યયન પરિણત થઈને આત્મોત્થાનનું નિમિત્ત બને છે. આ અનુરક્તિ એ મોહની પેદાશ નહિ પણ દર્શનમોહનીય કર્મના ક્ષયોપશમની પેદાશ હોવી જોઈએ. સાધકે પોતાની ચિત્તવૃત્તિને પૂરી સાવધાનીથી તપાસવી જોઈએ કે પોતાના હૃદયમાં ગુરુ પ્રત્યે ઉછળતો સ્નેહભાવ છે કે નહિ અને જો છે તો તેમાં ક્યાંય મોહની વિકૃતિ તો નથી ને ! કોઈ ભૌતિક સ્વાર્થની સિદ્ધિ માટેનો કે તેવી સિદ્ધિમાંથી પ્રગટેલો સ્નેહભાવ તો નથી ને ! આ સ્નેહભાવ કેવળ આત્મહિતની કામનામાંથી જ પેદા થયેલો હોવો જોઈએ. એમાં ગુરુ પાસેથી જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિની ઝંખના કે ગુરુ પાસેથી પ્રાપ્ત થયેલ જ્ઞાનાદિ ગુણોને કારણે પ્રગટેલો કૃતજ્ઞભાવ જ કારણ હોવા જોઈએ. ગુરુ પ્રત્યે ઉછળતા સ્નેહરૂપ અનુરક્તિ હોવી જ જોઈએ. આમ છતાં તે મોહના ઘરની નહિ પણ વિવેકના ઘરની, ઉદયભાવના ઘરની નહિ, પણ ક્ષયોપશમભાવના ઘરની, દુન્યવી સ્વાર્થમાંથી પ્રગટેલ નહિ પણ વિશુદ્ધ અધ્યાત્મભાવમાંથી પ્રગટેલ સ્નેહભાવ રૂપ અનુરક્તિ હોવી જોઈએ. ૨-૨ - બત્તિનો ઃ ભક્તિવાન ઃ શ્રુતપાસકના જીવનમાં વિનય ગુણને અભિવ્યક્ત કરતો “અનુરક્તિ' ગુણ જેમ હોવો જોઈએ, તેમ “ભક્તિભાવ' પણ હોવો જોઈએ. “અનુરક્તિ' એ પ્રીતિની પેદાશ છે, તો ભક્તિભાવ એ ભક્તિની પેદાશ છે. અનુરક્તિમાં સાહચર્ય ભાવની મુખ્યતા હોય છે. જ્યારે ભક્તિમાં બહુમાનભાવ, અહોભાવ, આદરભાવની મુખ્યતા હોય છે. તોપાસકના જીવનમાં અનુરક્તિની જેમ જ “ભક્તિભાવ” પણ હોવો જ જોઈએ. જો સાચો વિનયભાવ પ્રગટ્યો હોય તો તેના જીવન વ્યવહારમાં આવો ભક્તિભાવ અવશ્ય દેખાય છે. ગુરુ પ્રત્યે એકસરખો ભક્તિભાવ, બહુમાન ભાવ, સદ્ભાવ જોઈએ, ગુરુને જોયા ને થાય કે, “ગુરુદેવ પધાર્યા આવો પણ ભાવ જોઈએ. ગુરુ પ્રત્યે ભક્તિનો ભાવ જોઈએ. એમના માટે “આમ કરું ને તેમ કરું' તેમ થવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy