SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ૧ – આગમ જાણો ! 42, પણ પ્રાયશ્ચિત્ત નામના તપ પછી વિનય નામનો તપ બતાવ્યો છે. વિનય સર્વ ગુણોનું મૂળ છે અને જૈનશાસનનો સાર છે. વિનય બાહ્ય અને અંતરંગ વ્યવહારરૂપ છે. બાહ્ય વ્યવહારમાં ગુરુ ભગવંત પધારે ત્યારે ઉભા થવું, સામે જવું, આસન આપવું વગેરે કરવાનું હોય છે અને અંતરંગ વ્યવહારમાં ગુરુ ભગવંત પ્રત્યે બહુમાનભાવ ધરવાનો હોય છે. આ રીતે માન-કષાયને મારીને અંતરંગ અને બાહ્ય વ્યવહારરૂપ વિનયને જે આત્મસાત્ કરી શકે તે જ આગમ શાસ્ત્રોના શ્રવણ માટે અધિકારી બને છે. વિનયવાન બન્યા વિના જે કોઈ આગમ શાસ્ત્રોનું શ્રવણ કરે છે, તેને આગમો ક્યારેય સાચા અર્થમાં સમજાતા નથી. એના આત્મામાં એ આગમોનો યથાર્થ બોધ ક્યારેય પરિણામ પામતો નથી. માટે જ વિશેષ રીતે વિનય ગુણનું સ્વરૂપ સમજાવી, તેના દ્વારા જ ઈચ્છિત અર્થની પ્રાપ્તિ થાય છે. એ સમજાવવા ચૂર્ણિકાર મહર્ષિએ ફરી પણ વિશેષાવશ્યક ભાષ્યની ગાથા ટાંકતાં લખ્યું કે - ''अणुरत्तो भत्तिगओ अमुयी, अणुअत्तओ "विसेसण्णू । 'उजुत्त- अपरितंतो, इच्छित्तमत्थं लभति साधु ।।३४०२।।' અનુરક્ત-૧, ભક્તિવાત-૨, અમુવી-૩, અનુવર્તક-૪, વિશેષજ્ઞ-૫, ઉક્ત-૬, અપરિતાપી-૭ - આ સાત ગુણોવાળો સાધુ-સાધક ઈચ્છિત અર્થને પામે છે.' જેનામાં તાત્વિક કોટિનો વિનય આવે એનામાં અનુરક્ત વગેરે સાત ગુણો જોવા મળે છે. આ સાત ગુણવાળો સાધક તાત્વિક રીતે વિનય ગુણની આરાધના દ્વારા વિનીત બનીને આગમ શાસ્ત્રના અધ્યયનનો સાચો અધિકારી બને છે. હવે આપણે અનુરક્ત વગેરે સાતેય ગુણોને સમજી લઈએ. ૨-૧ - મજુરોઃ અનુરક્ત : ગુરુ પ્રત્યે અંતરંગ રાગ જોઈએ. વારંવાર મનમાં ગુરુનું સ્મરણ થવું જોઈએ. કોઈપણ કામ કરતાં ગુરુભગવંત યાદ આવવા જોઈએ. વાતે વાતે ગુરુ પાસે જવાનું મન થવું જોઈએ. ગુરુને જોતાં જ આંખોને અપાર સુખની અનુભૂતિ થવી જોઈએ. ગુરુને જોતાં જ હૃદય ભાવવિભોર બનવું જોઈએ. જેના હૃદયમાં ગુરુ માટે આવા ભાવો પેદા થાય તે ગુરુ પ્રત્યે “અનુરક્ત' કહેવાય છે. ગુરુ પ્રત્યે જ્યારે હૃદયમાં અપાર પ્રતિભાવ પેદા થાય ત્યારે જ આવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy