SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ – ૨ સૂયગડાંગ સૂત્રનો ઉદ્ભવ: પ્રભુશ્રી મહાવીરદેવનું જીવન - 2 – 25 શ્રી સુધર્માસ્વામીજીની શબ્દ રચના સ્વરૂપે પ્રાપ્ત થઈ છે. સૂયગડાંગ અંગ એ દ્રવ્યાનુયોગને બતાવનારું સૂત્ર છે. આ સૂયગડાંગમાં બે શ્રુતસ્કંધ છે. તેમાં અનેક અધ્યયનો છે. એક-એક અધ્યયનમાં અનેક ઉદ્દેશા છે. કોઈપણ મોટો ગ્રંથ હોય, તેને જેમ પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ હોય છે, પ્રથમ ખંડ અને દ્વિતીય ખંડ હોય છે, તેમ અહીં શ્રુતસ્કંધ નામે મુખ્ય વિભાગો છે. ગ્રંથમાં જેમ પ્રકરણો હોય છે, તેમ અહીં અધ્યયનો છે. ગ્રંથમાં જેમ પેટાપ્રકરણો હોય તેમ અહીં ઉદ્દેશાઓ છે. પંચાંગીનો અપલોપ મૂળનો અપલાપ છે : આ આગમોમાં ગંભીર અર્થ ભરેલો છે. મૂળ આગમના એ મહાન અર્થને પામવા ભાષ્ય, નિર્યુક્તિ, ચૂર્ણિ અને ટીકાનો સહારો લેવો અનિવાર્ય બને છે. આ ચાર સાથેના મૂળને પંચાંગી કહેવાય છે. જો પંચાંગી આગમ ન હોય તો મૂળ આગમનો વાસ્તવિક અર્થ કોઈ રીતે પામી શકાય નહીં. મૂળ જેમ જરૂરી છે, તેમ ભાષ્ય-નિર્યુક્તિ ચૂર્ણિ ને ટીકા પણ જરૂરી છે. આપણે પંચાંગીના આરાધક છીએ. પંચાંગીનો અપલાપ કરવો એટલે જેન ધર્મનો અપલાપ છે અને એ મૂળનો પણ અપલાપ છે. કોઈપણ બાબતની ચર્ચા થાય ત્યારે આ વાત મૂળમાં ક્યાં છે ? એમ બોલવું તે પંચાંગીનો અપલાપ છે. તારક તીર્થકર ભગવંતે કહેલા અર્થનો અપલાપ છે. મૂળ સૂત્રનો અપલાપ કરવો તે ગણધર ભગવંતોની આશાતના છે અને ભાષ્ય, નિર્યુક્તિ, ચૂર્ણિ, ટીકારૂપ અર્થનો અપલાપ કરવો એ તીર્થંકર ભગવંતોની આશાતના છે. જેને તીર્થકર ભગવંતો પ્રત્યે આદર હોય તેણે ક્યારેય એકલા મૂળ આગમોનો આગ્રહ ન રાખવો જોઈએ. પરમતારક ગુરુદેવે શ્રીમદ્ આચારાંગ સૂત્રનાં વ્યાખ્યાનોમાં આ મુદ્દો સમજાવતાં સરસ વાત કરી હતી. કોઈ માણસને કેરીનો રસ ખાવો હોય તો કહે મૂળમાં ક્યાં છે ? મૂળમાંથી કાઢી બતાવો ! મૂળમાંથી તો મોટે ભાગે કડવો રસ જ મળે. મીઠો મધુરો પોષક રસ ક્યારે મળે ? મૂળ વાવો, તે વધે, ડાળાં-પાંખડાં થાય ને મહોરો લાગે, પછી કેરી આવે એ પણ પહેલાં કાચી, પછી પાકી થાય, પાકે પછી જ મીઠો મધુરો, પોષક રસ મળે. તેમ મૂળ સૂત્રમાંથી ભાષ્ય, નિર્યુક્તિ, ચૂર્ણિ અને ટીકા સુધી પહોંચીએ ત્યારે જ એનો સાચો અને પૂરો અર્થ જાણવા-માણવા મળે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy