SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ – ૨ સૂયગડાંગ સૂત્રનો ઉદ્દભવ: પ્રભુશ્રી મહાવીરદેવનું જીવન -2 – 23 કલ્પના બહારનું સમાધાન થયું. બધું ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. બેલન્સ ટકી ગયું. છતાં હજી અપૂર્ણતા લાગી. ભગવંતને ફરી પણ પ્રશ્ન પૂછ્યો ! ‘પર્વ તિરં ?' પરમાત્માએ જવાબ આપ્યો, ‘ઘૂવે વા’ આ ઉત્તર મળતાંની સાથે સર્વાશ પ્રકાશ લાધ્યો. વિશ્વનું સંપૂર્ણ જ્ઞાન થયું. વિશ્વ સતત ઉત્પત્તિશીલ છે. વિનાશશીલ છે, તેમ ધ્રુવ પણ છે. દ્રવ્યની અપેક્ષાએ વિશ્વ અને વિશ્વવર્તી તમામ પદાર્થો ધ્રુવ છે અને પર્યાયની અપેક્ષાએ વિશ્વ અને વિશ્વના તમામ પદાર્થો ઉત્પન્ન થવાના અને નાશ પામવાના સ્વભાવવાળા છે. આ હતો ત્રિપદીરૂપ બીજમંત્ર. જેના આધારે મહાન એવા જૈનશાસનની સ્થાપના થવાની હતી. ભવ્યાત્માઓના હિતની ક્ષણઃ શાસનસ્થાપના : ત્રિપદીરૂપ બીજમંત્ર પામીને માત્ર એક જ અંતર્મુહૂર્તમાં એ અગ્યાર બ્રાહ્મણ શ્રેષ્ઠોએ સર્વાગ સંપૂર્ણ દ્વાદશાંગીની રચના કરી. જેમાં ચૌદ પૂર્વનો પણ સમાવેશ થતો હતો. આ અંતર્મુહૂર્તમાં, ૨૧,૦૦૦ વર્ષ સુધી જન્મનારા ભવ્યાત્માઓના હિતનું નિર્માણ થયું. આપણા બધાના હિતનું સર્જન થયું. વિશ્વકલ્યાણકર દ્વાદશાંગીને પ્રમાણિત કરવા જ્યારે પ્રભુ સિંહાસન ઉપરથી ઉભા થયા ત્યારે, વાતાવરણ દિવ્ય હતું. પ્રભુની સેવામાં સમગ્ર દેવસૃષ્ટિ અવતરી ચૂકી હતી, દૈવી સંગીતના સૂર ચારેય બાજુ રેલાઈ રહ્યા હતા. તો બીજી બાજુ અધ્યાત્મનો ઉજાસ સમગ્ર જીવસૃષ્ટિમાં સંજીવનીનો સંચાર કરી રહ્યો હતો. ચારે બાજુ આનંદ નિરવધિ બન્યો હતો. એ એવી અપૂર્વ, અલૌકિક ક્ષણ હતી કે, જેમાં ધર્મશાસનની સ્થાપના થવાની હતી. જેના દ્વારા ૨૧,૦૦૦ વર્ષમાં જન્મનારા ભવ્યાત્માઓનું હિત સધાવાનું હતું. પ્રભુને સિંહાસન ઉપરથી ઉભા થતા જોઈને ઈન્દ્ર પ્રભુની નિકટ આવ્યા. તેમના હાથમાં સુગંધી ચૂર્ણનો વજમયે થાળ હતો. ઈન્દ્ર પોતાનો એક હાથ ઊંચો કરીને સૌને શાંત રહેવા ઈશારો કર્યો. ઈન્દ્રનો ઈશારો થતાં જ ૧૩ કિ.મી.ના એ સમવસરણમાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. આજુબાજુમાં રહેલા સૌ કોઈને અરસ-પરસના શ્વાસોચ્છવાસ પણ સંભળાય તેવી અદ્ભુત શાંતિ હતી. ત્રણ લોકના નાથ, અનંતજ્ઞાનના સાક્ષાત્ પૂંજ એવા પરમાત્માની સન્મુખ અગીયારે ય શિષ્યો નતમસ્તકે ઉભા રહ્યા. વજના થાળમાંથી પરમાત્માએ સુગંધી વાસચૂર્ણ મુઠ્ઠીમાં લીધું. અગ્યારે ગણધરોના મસ્તકે દ્રવ્ય-ગુણપર્યાયની અપેક્ષાએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy