SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ 254 ૨૫૪ - ૧ - આગમ જાણો ! – પ્રગટ્યા હોય, તેમને માટે પોતાના એ ગુણોને ટકાવવા પણ ગુરુકુળવાસમાં જ રહેવું અનિવાર્ય છે. સાક્ષાત્ ગુણોની મૂર્તિ એવા ગુણશ્રેષ્ઠ શ્રી ગૌતમસ્વામીએ ગુરુકુળવાસ ક્યારેય તજ્યો નથી. તો બીજા સાધકો-સંયમીઓની તો વાત જ શું કરવી ? ગુણહીનને તો ગુરુકુળવાસમાં રહેવું જ નથી. જેને અવગુણ છે અને તે ગમે છે, જેને પોતાના ગુણ-દોષની પીછાણ નથી, જેનું ગુણપ્રાપ્તિ અને દોષ પરિહારનું લક્ષ્ય નથી, એવા જીવોને ગુરુકુળવાસ ક્યારેય ગમતો નથી. પણ જેને પોતાના ગુણ-દોષનો આછેરો પણ ખ્યાલ હોય અને પોતાના દોષોને ટાળીને જેણે ગુણો પામવા હોય, તેને ગુરુકુળવાસ વિના ચેન પણ પડતું નથી. જેને ગુણ-અવગુણ સરખા જ લાગતા હોય અને દોષ ટાળીને ગુણ પામવાનું જેનું ધ્યેય ન હોય તેવા સ્વચ્છંદીઓને ગુરુકુળવાસમાં રાખવાની પણ મનાઈ છે. તે તો ગુરુકુળવાસમાં રહીને પણ અનેકનું અહિત કરે છે, જેને પોતાના દોષોને ટાળીને ગુણો પામવા હોય, તેને ગુરુકુળવાસમાં રહેવાનું અને રાખવાનું વિધાન છે. ૧૫મું અધ્યયન આદાનીય' (ગ્રહણ કરવું) નામનું છે, તેનો એક ઉદ્દેશો છે. મોક્ષને મેળવી આપવાની તાકાત સમ્યફ ચારિત્રમાં છે. ચારિત્ર જો સમ્યફ પળે તો તે અવશ્ય મોક્ષ મળે. ચારિત્રને સમ્યક પાળવું તે સાધકનું કર્તવ્ય છે. પછી તેને મોક્ષ મેળવી આપવાનું કામ ચારિત્રનું છે. ૧૭મું અધ્યયન “ગાથા' નામનું છે, જેનો એક ઉદ્દેશો છે. આગળનાં પંદરે પંદર અધ્યયનોનો ઉપસંહાર - આ અધ્યયનમાં કરી આપ્યો છે. અત્યાર સુધીમાં જેટલું જ્ઞાન મેળવ્યું, તેને સંક્ષેપમાં યાદ રાખી શકાય તે માટે બધાનો પિંડિત કરેલો અર્થ આ અધ્યયનમાં આપવામાં આવ્યો છે. આ રીતે ૧૯ અધ્યયનો અને ૨૬ ઉદ્દેશા દ્વારા પહેલો શ્રુતસ્કંધ પૂર્ણ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy