SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ - ૧ - આગમ જાણો ! - 228 તેમ અજીવ તત્ત્વનો આત્મા ઉપર શો પ્રભાવ છે, તેમાંથી આત્માને કેવી રીતે મુક્ત કરવો તે માટે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળને જાણવાના છે. જીવને આ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય કે કાળ બહુ નડતરરૂપ નથી, પણ પુદ્ગલની નડતર ઘણી મોટી છે. આખો સંસાર જ તેના આધારે રચાયો છે. માટે તેને જ જીતવાનું છે. આપણે આ બધું જાણવું છે પણ શા માટે ? પહેલા નક્કી કરી લો કે, મારે મુક્તિ મેળવવી છે. સાદિ અનંતભાંગે સ્વભાવદશામાં વિલસવું છે. એ માટે ચારિત્રધર્મ પામવો છે અને સંસાર છોડવો છે. આ સિદ્ધક્ષેત્રની ભૂમિ ઉપર આવીને પાપીમાં પાપી આત્માઓ ચારિત્રધર્મ પામ્યા છે. તેને પામીને પરાકાષ્ઠાની સાધના-આરાધના કરી – સર્વ કર્મોનો ક્ષય કરી સિદ્ધિપદને પામ્યા છે અને અત્યારે પણ સાદિ-અનંતભાગે સ્વભાવદશામાં વિલસી રહ્યા છે. સૂયગડાંગના વિવિધ નામો અને અર્થો : શ્રી સૂયગડાંગ સૂત્ર સૂયગડ, સૂત્રકૃત, સૂયગડાંગ – એમ અનેક નામે ઓળખાય છે. આ નામોનો અર્થ શું ? જિજ્ઞાસુને આવો પ્રશ્ન થવો સહજ છે. તેથી એનો સામાન્ય શબ્દાર્થ પણ સમજી લઈએ. તેમાં સૌથી પહેલાં આપણે સૂયગડ નામનો અર્થ વિચારીએ. “સૂયગડ” એવું નામ “સૂર્ય અને “ગડ’ એવા બે શબ્દોના સંયોજનથી બનેલું છે. “સૂય” એટલે સૂત-જન્મેલું, ઉત્પન્ન થયેલું અને “ગડ” એટલે કૃત, કરાયેલું, રચાયેલું. સૂય-ગડ શબ્દનો આવો શબ્દાર્થ થાય છે. જેનું તાત્પર્ય એ છે કે “સૂય' એટલે ભગવાન શ્રી તીર્થકર દ્વારા અર્થથી જન્મેલું અને ગડ” એટલે ગણધર ભગવંતો દ્વારા સૂત્રરૂપે કરાયેલું, આ રીતે “સૂય” અને “ગડ' - આ બે શબ્દો દ્વારા અરિહંત ભગવંતો અને ગણધર ભગવંતો બન્નેના ઉપકારોનો ઉલ્લેખ આવી ગયો. કહ્યું પણ છે કે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy