SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ઃ ભૂથગsiણ:પહેલા મૃતeઠંઘના ૧ થી 9 અધ્યયનોનું અવલોકન અનંત ઉપકારી, ચરમતીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ પરમતારક પરમાત્માના પાવન મુખેથી ત્રિપદીને પામીને જગતનો ઉદ્ધાર કરનારી પરમપાવન દ્વાદશાંગીની રચના કરી. તે પૈકીનું આ બીજું અંગઆગમ, જેને શ્રી સૂયગડાંગ સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. આગમ શ્રવણ શા માટે ? શ્રી આચારાંગજી વગેરે ગ્રંથો ચરણ-કરણાનુયોગના આગમો છે. તો શ્રી સૂયગડાંગજી વગેરે આગમો દ્રવ્યાનુયોગના આગમો છે. સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ, જ્યોતિષકરંડક વગેરે આગમો એ ગણિતાનુયોગના આગમો છે અને જ્ઞાતાધર્મકથાગ વગેરે આગમો એ ધર્મકથાનુયોગના આગમો છે. કોઈ પણ આગમ સાંભળો, કોઈ પણ યોગની સાધના કરો, પણ તેની પાછળ લક્ષ્ય એક જ હોવું જોઈએ કે, આ સંસાર છોડવો છે, સાધુપણું પામવું છે, નિરતિચાર સાધુપણું પાળવું છે, આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવું છે અને સાદિ-અનંતભાંગે સ્વભાવદશામાં વિલસવું છે. પણ આ ભાવના, આ લક્ષ્ય કે આ ધ્યેય ન હોય તો શ્રી આચારાંગ સૂત્ર સાંભળો કે શ્રી સૂયગડાંગ સૂત્ર સાંભળો, શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ સાંભળો કે શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ સાંભળો, શ્રી જ્ઞાતાધર્મકથા સાંભળો કે અન્ય કોઈ પણ આગમ સાંભળો; પરિણામ શૂન્ય છે. આત્માને સ્વભાવદશામાં લઈ જવા માટે જેમ જીવતત્ત્વને જાણવું જરૂરી છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy