SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ 214 ૨૧૪ - ૧ - આગમ જાણો ! - ઉપદેશ પણ કોની પાસેથી સાંભળવો, મેળવવો, એ માટે જણાવ્યું છે કે સંવિગ્ન એવા ગીતાર્થ ગુરુઓ પાસેથી સાંભળવો-મેળવવો. સારામાં સારી કંપનીનો મેનેજર ફૂટી ગયો હોય, પેકિંગ એનું એ હોય છતાં અંદરનો માલ ભળતો જ હોય તેમ બને ને ? માટે “આપ્ત વચનને કહેનારા પણ આપ્તનો પ્રતિનિધિ એવો આપ્ત જ જોઈએ. આપ્તનો પ્રતિનિધિ એવા આપ્ત તે જ હોઈ શકે કે જે સંવિગ્ન-ગીતાર્થ હોય. જેના હૃદયમાં મોક્ષની તીવ્ર અભિલાષા હોય તે સંવિગ્ન કહેવાય અને જે સર્વજ્ઞ કથિત સૂત્રો અને તેના અર્થને એટલે કે આગમપંચાંગીને યથાર્થરૂપે જાણતા હોય તે ગીતાર્થ કહેવાય. એ માટે જ જેમની પાસેથી ધર્મોપદેશ સાંભળવાનો હોય તે ગુરુની પણ પરીક્ષા કરવાની વિધિ બતાવવામાં આવી છે. દેવની જેમ પરીક્ષા કરવાની, એ દેવ આપ્યું છે કે નહિ તે જેમ જોવાનું તેમ ગુરુની પણ પરીક્ષા કરવાની છે અને તે ગુરુ આપ્યું છે કે નહિ, તે જોવાનું. પછી જ તેમના મુખે ધર્મદેશના સાંભળવાની. અહીં બધું ચોખ્ખું લખેલું છે. ક્યાંય ગેરસમજ થાય એવી વાત નથી, પણ જેને ગોટાળો વાળવો જ હોય તેનો કોઈ ઈલાજ હોતો નથી. મા” મળો તો આવી મળજો : અહીં કહે છે કે, “આપ્નની શરણાગતિ સ્વીકારીને તેમના મુખે પરમાપ્ત એવા અરિહંતનો ઉપદેશ સાંભળવો જોઈએ. એ અરિહંત પરમાત્માનો ઉપદેશ તેમના કહેલા આગમમાં સમાયેલ છે. એ આગમ એટલે જ દ્વાદશાંગી. તેનું પરિજ્ઞાન=પૂરેપૂરું જ્ઞાન મેળવવા માટે સઘળો ય પ્રયત્ન કરવો જોઈએ. એ આગમનું પરિજ્ઞાન પામવું કાંઈ સહેલું તો નથી જ, પરંતુ વર્તમાનકાળના અલ્પજ્ઞ એવા આપણા ઉપર પરમ ઉપકાર કરીને યુગપ્રધાન, સાધિકનવપૂર્વી પૂજ્ય આચાર્યશ્રી આર્યરક્ષિતસૂરિજી મહારાજે આગમ શ્રુતને ચાર વિભાગમાં વહેંચી દીધું. આ ચાર વિભાગ એટલે જ ૧ - ચરણકરણાનુયોગ, ૨ - દ્રવ્યાનુયોગ, ૩ - ધર્મકથાનુયોગ અને ૪ - ગણિતાનુયોગ. પૂજ્ય આચાર્યશ્રી આર્યરક્ષિતસૂરીશ્વરજી મહારાજનું જીવન પણ જાણવા જેવું છે. સ્વયં બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હતા. “દશપુર” નગરમાં રહેતું એમનું કુટુંબ આખું વૈદિક ધર્મને માનતું હતું, જ્યારે તેમની માતા “રુદ્રસોમા' જિનમતની અનુયાયી પરમ સમકિતી શ્રાવિકા હતાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy