SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ આગમ જાણો ! આ યથાસૂત્રભાષી... આ બધા એના જ પર્યાયવાચી શબ્દો છે. આ એકડો છે, બાકીના એમના ગુણો એ તેની ઉપરનાં મીંડાં જેવા છે. તીર્થંકર પરમાત્માનો જેમ યથાર્થવાદી ગુણ છે, તેમ આચાર્ય ભગવંતનો શુદ્ધપ્રરૂપણા ગુણ છે. શુદ્ધપ્રરૂપણા ગુણ હોય પછી એ તપસ્વી હોય તો ‘મીંડુ ઉમેરાયું' - આ રીતે શુદ્ધપ્રરૂપણા પછી જેટલા ગુણ વધે એટલાં મીંડા ઉમેરાતાં જાય. પણ એકડા વગરનાં જ મીંડા હોય તો તેની કોઈ કિંમત નથી. આ વીતરાગનું શાસન છે અને તેની આ મર્યાદા છે. ૨૧૨ મૂળ વાત એ છે કે, ‘વિવેક’ વિના ‘કર્મનો ઉચ્છેદ’ ન થાય અને ‘આપ્તના ઉપદેશ’ વિના ‘વિવેક’ ન પ્રગટે. આજે આપણે પણ જે ઉપદેશ પામવો છે તે આપ્ત વચનોનાં આધારે પામવાનો છે. તે આપ્ત વચનો કયાં ? પરમાત્માની દ્વાદશાંગી, ૪૫ આગમો, તેની પંચાંગી અને તેના આધારે બનાવેલા ગ્રંથો. 212 એટલે આપ્ત વચન બાર અંગ-૪૫ આગમ અને તેની પંચાંગી સ્વરૂપ છે. તેનાં આધારે બનેલા ધર્મગ્રંથોમાંથી પણ આપ્તનો ઉપદેશ મેળવી શકાય છે. ઉપ એટલે સમીપ, દેશ એટલે પ્રદેશ. સમીપ પ્રદેશમાં જાવ એટલે જે મળે તેને ‘ઉપદેશ’ કહેવાય. આપ્ત એવા તીર્થંકરના આગમોનું સાનિધ્ય-શરણાગતિ સ્વીકાર્યા વગર જે મળે તે ઉપદેશ નહિ. શરણાગતિ સ્વીકારો તો જ સમીપતા સ્વીકારી કહેવાય. તે માટે માથે ગુરુ કરવા પડે, જ્ઞાનના આચાર પાળવા પડે, વિનય કરવો પડે, પછી ઉપદેશ મળે. જ્ઞાનના આચાર પૂર્વક કાળવેળા વગેરેના ખ્યાલપૂર્વક-વિનયપૂર્વક-બહુમાનથી ઉપધાન વગેરે આઠે આઠ આચારોના પાલનપૂર્વક મેળવાય તો જ સાચો ઉપદેશ પ્રાપ્ત થાય. શાસ્ત્રવચનના અનંત અર્થ થાય પણ તે જ અર્થ લેવાય કે જે સંગત હોય : સભા : શાસ્ત્રવચનોના પણ બે અર્થ થાય ને ? માત્ર ‘બે જ અર્થ’ ન થાય, અનંતા અર્થ પણ થાય. પરંતુ જે અર્થ જ્યાં લેવાતો હોય ત્યાં જ લેવાય. જેમ કે એક ‘કાંટો’ શબ્દની વિચારણા કરીએ તો તેનાં કેટલા અર્થ તમે જાણો છો ? ઘડિયાળનો કાંટો, વજન કરવાનો કાંટો, પગમાં વાગે તે કાંટો, ખાવા માટે વપરાય તે કાંટો અને હૈયામાં કોઈનું વેણ ભોકાયું તે પણ કાંટો. કાંટાના કેટલા પ્રકા૨ તમે જાણો છો ? તમે જમવા બેસો ત્યારે કહો કે, કાંટો આપો, ત્યારે તમારો નોકર કે પત્ની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy