SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ આપ્ત કહે તે પ્રમાણ !તો આપ્ત કોણ? 10 - વિ. સં. ૨૦૫૮, અષાઢ વદ-૧૧, સોમવાર, તા. ૫-૮-૦૨, સાચોરી ભવન, પાલીતાણા - • આપ્ત કોણ ? જૈનશાસનની વિરલ વિશેષતા : તીર્થંકરો પણ અન્ય તીર્થંકરોનો હવાલો આપે : • ♦ પરીક્ષા કરીને આપ્તપણું પુરવાર થાય પછી જ સ્વીકાર કરાય ઃ મા’ મળો તો આવી મળજો : ♦ શાસ્ત્રવચનના અનંત અર્થ થાય પણ તે જ ચારિત્રની શ્રદ્ધા પ્રગટે છે આચારાંગથી : અર્થ લેવાય કે જે સંગત હોય : વિષય : જૈનશાસનની અદ્ભુત વ્યવસ્થા. બંધનને તોડવા માટે વિવેક જરૂરી છે. વિવેક આપ્તવચનોથી જ મળે. માટે અહીં ‘આપ્ત’ કોણ હોઈ શકે ? તેની સુંદર સમજ આપ્યા બાદ કયા કયા કારણે વિપરીત (અસત્ય-ઉત્સૂત્ર) પ્રરૂપણા થાય - તેનું પણ નિદર્શન કરાવ્યું છે. તીર્થંકરો સીધે સીધા ‘આપ્ત’ કહેવાય. જ્યારે ગણધરો અને તેમને અનુસરનારા સૂરિ-મુનિવરો સીધેસીધા નહિ, પરંતુ વાયા-વાયા આપ્ત કહેવાય. એ બંનેય પ્રમાણ છે. યથાર્થવાદિતા એ તીર્થંકર ભગવંતોનો મુખ્ય ગુણ છે; માટે તેઓ સીધા આપ્ત છે. જ્યારે સસૂત્ર પ્રરૂપકતા એ આચાર્ય ભગવંતોનો મુખ્ય ગુણ છે માટે તેઓ પરંપરાએ આપ્ત છે. શ્રાવક-શ્રાવિકા સંઘને માથે શ્રમણસંઘ, શ્રમણ સંઘના માથે આચાર્ય અને આચાર્યના માથે તીર્થંકર-ગણધર-પૂર્વાચાર્યોનાં શાસ્ત્રો ! આ જૈનશાસનની અદ્ભુત વ્યવસ્થા આ પ્રવચનમાં દર્શાવવામાં આવી છે. ત્યારબાદ શાસ્ત્રવચનોના અનેક અર્થો થતાકરાતા હોય ત્યારે કયા અર્થને, કોના કરેલા અર્થને પ્રમાણ કરવો – વગેરે અનેક ઉપયોગી બાબતોનું સચોટ માર્ગદર્શન આ પ્રવચનમાં મળી રહે છે. પ્રવચનનું પ્રતિબિંબ * તીર્થંકર પરમાત્માનો જેમ યથાર્થવાદી ગુણ છે, તેમ આચાર્ય ભગવંતનો શુદ્ધપ્રરૂપણા ગુણ છે. * શરણાગતિ સ્વીકારો તો જ સમીપતા સ્વીકારી કહેવાય. * દેવની જેમ પરીક્ષા ક૨વાની, એ દેવ આપ્ત છે કે નહિ તે જેમ જોવાનું; તેમ ગુરુની પણ પરીક્ષા કરવાની છે અને તે ગુરુ આપ્ત છે કે નહિ, તે જોવાનું. પછી જ તેમના મુખે ધર્મદેશના સાંભળવાની. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy