SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ઃ શ્રી સૂયગsiણજી મૂત્ર -એક પરિચય દ્વાદશાંગીનું મૂળ : ત્રિપદી : અનંત ઉપકારી ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના પાવન મુખેથી ઉપઈ વા, વિગઈ વા, ધુવેઈ વા, એ ત્રિપદીરૂપ બીજમંત્રોનું શ્રવણ કરીને બીજબુદ્ધિના સ્વામી એવા અગ્યાર ગણધર ભગવંતોએ એક જ અંતર્મુહૂર્તમાં ૧૪ પૂર્વસહિત સમગ્ર દ્વાદશાંગીની રચના કરી અને પ્રભુએ તેને કેવલ્ય દૃષ્ટિથી પ્રમાણી. તે પૈકીની પંચમગણધર શ્રી સુધર્માસ્વામીજીની દ્વાદશાંગી પૈકીનાં અગ્યાર અંગ આજે ઉપલબ્ધ છે અને દૃષ્ટિવાદ નામના બારમા અંગનો વિચ્છેદ થયો છે. આ અગ્યાર અંગ પૈકી શ્રી આચારાંગજી એ પ્રથમ અંગ-આગમ છે, તો શ્રી સૂયગડાંગજી એ બીજું અંગ-આગમ છે. આચારાંગમાં ચરણકરણ તો સૂયગડાંગમાં દ્રવ્યાનુયોગની પ્રધાનતા : આચારાંગજીમાં શ્રમણજીવનના આચારોને મુખ્યતયા વર્ણવવામાં આવ્યા છે, તો શ્રી સૂયગડાંગજીમાં મુખ્યતયા સ્વ-પર દર્શનનું વર્ણન કરવામાં આવ્યું છે. ચરણકરણાનુયોગ, દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગ – આ ચાર અનુયોગ પૈકી શ્રી આચારાંગજીમાં મુખ્યત્વે ચરણકરણાનુયોગનું નિરૂપણ કરાયું છે અને શ્રી સૂયગડાંગજીમાં પ્રમુખતાએ દ્રવ્યાનુયોગનું વર્ણન કરવામાં આવ્યું છે. જે મિથ્યાત્વ-સંમોહ-અજ્ઞાનને દૂર કરી સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનનું પ્રાગટ્ય કરી સમ્યચ્ચારિત્રની ભૂમિકાનું સુંદર સર્જન કરે છે. આ સૂયગડાંગજી સૂત્રના ગંભીર અર્થોનું પ્રકાશન કરવા માટે ચૌદ ચૌદપૂર્વને ધરનારા યુગપ્રધાન પૂ. આચાર્ય ભગવંતશ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજે નિયુક્તિ ગ્રંથની રચના કરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy