SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૭ – ૯: પૂર્વાચાર્યોના પંથે ચાલવું એ તેઓની શ્રેષ્ઠ ભક્તિ છે – 9 – 187 મહારાજ ગ્રંથની અવતરણિકા કરતાં શરૂઆતમાં જ જણાવે છે કે, સંસાર અનાદિ કાળનો છે, સંસારનો અંત નથી. અંત વિનાના સંસારમાં અનંત આત્માઓની સાથે આપણે પણ ચોર્યાસી લાખ યોનિઓમાં ભટકી રહ્યા છીએ. જીવ ક્યારથી ? જીવનો સંસાર જ્યારથી ? શેના કારણે ? એ જણાવતાં શ્રી પંચસૂત્રમાં પણ જણાવ્યું છે કે – 'अणाइ जीवे । अणाइ जीवस्स भवे । अणाइ कम्म-संजोगनिवत्तिए ।' જીવ અનાદિનો છે, જીવનો સંસાર અનાદિનો છે અને તે અનાદિ કર્મસંયોગથી સર્જાયો છે.” ચાર ગતિ, ૮૪ લાખ યોનિ અને ૧૪ રાજલોક પ્રમાણ વિશ્વમાં અનાદિકાળથી જીવો જન્મ-મરણ કર્યા જ કરે છે. તમે અને મેં, આપણે બધાએ એવો પણ અનંતકાળ વિતાવ્યો કે જ્યાં વિચારવા માટે મન ન હતું, સાંભળવા માટે કાન ન હતા, જોવા માટે આંખ ન હતી, સુંઘવા માટે નાકન હતું, બોલવા માટે જીભ પણ ન હતી, સ્પર્શ કરવા માટે સ્વતંત્ર ચામડી પણ ન હતી. અનંતાની વચ્ચે એક શરીર અને એક ચામડી હતી. આહાર અને શ્વાસોશ્વાસ બધું જ એકસાથે કરવાનું અને જન્મ-તથા મરણ પણ અનંતાની સાથે જ કરવાનું. કોઈ સ્વતંત્રતા નહિ – કોઈ જુદું વ્યક્તિત્વ નહિ. એવી અવદશામાં અનંતકાળ વિતાવ્યો. માટે લખ્યું કે – 'समकं उच्छसन्ति, समकं निःश्वसन्ति, समकमाहारयन्ति, समकं निर्हारयन्ति । एकस्मिन्नियमाणे सर्वे म्रियन्ते, एकस्मिन्जीवति सर्वेऽपि जीवन्ति ।' એક સાથે શ્વાસ લે, એક સાથે શ્વાસ મૂકે, એક સાથે આહાર કરે, એક સાથે લિહાર કરે, એક કરતાં બધા મરે, એક જીવતાં બધા પણ આવે.' એક આંખના પલકારામાં અઢાર વાર જન્મ અને સત્તર વાર મરણ એમ સાડા સત્તરવાર જન્મ અને મરણ કરવાનાં. આવી રીતે અનંતાની સાથે અનંતકાળ તમે અને મેં, આપણે સૌએ ૧૪ રાજલોકમાં ચારગતિ અને ૮૪ લાખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy