SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ ૯ : પૂર્વાચાર્યોના પંથે ચાલવું એ તેઓની શ્રેષ્ઠ ભક્તિ છે – 9 Addic સંસ્કૃત ગ્રંથો ઉપ૨થી ગુજરાતી ગ્રંથો બન્યા હોય એવાં તો અનેક દૃષ્ટાંતો છે. પણ ગુજરાતી ઉપરથી સંસ્કૃત ગ્રંથ બનવાનું સૌભાગ્ય તો આ પૂજ્ય ઉપાધ્યાયજી ભગવંતની કૃતિ ‘દ્રવ્ય-ગુણપર્યાયના રાસને' જ સાંપડ્યું છે. 185 આ ગ્રંથ એવો મહત્ત્વપૂર્ણ બન્યો છે કે, પછી થયેલા પં. ભોજસાગર નામના વિદ્વાને એનું સંસ્કૃતમાં રૂપાંતર કરીને તેને ‘દ્રવ્યાનુયોગ તર્કણા’ એવું નામ આપ્યું છે. પૂ. ઉપાધ્યાયજી ભગવંતે વિસ્તૃત ગ્રંથો - ૧૫૦૦ ગાથાનાં હોય, તેનો સાર માત્ર ૨૦૦-૩૦૦ ગાથામાં આપી દીધો છે અને માત્ર સાત ગાથાનાં પદાર્થને સેંકડો ગાથાના વિસ્તારવાળા ગ્રંથરૂપે ઢાળ્યો છે. મોટા ગ્રંથોનો સંક્ષેપ કર્યો ને સંક્ષિપ્ત ગ્રંથોને મોટા બનાવ્યા. ગદ્યને પદ્યમાં અને પદ્યને ગદ્યમાં ઢાળવાની આગવી પ્રતિભા તેઓશ્રીમાં હતી. સંસ્કૃત-પ્રાકૃતને ગુજરાતીમાં અને ગુજરાતીને સંસ્કૃત-પ્રાકૃતમાં કેમ જાળવી રાખવું તે આગવી કળાને તેઓશ્રી વરેલા હતા. ઉત્તમ સાધના દ્વારા પ્રાપ્ત બધી જ કળાનો ઉપયોગ કરીને કરેલી મ્રુતભક્તિ દ્વારા તેઓશ્રીએ આપણા સૌ ઉપર અનહદ ઉપકાર કર્યો છે. વાદ જીતવો એ શાસનની સુરક્ષાનું કાર્ય છે; જ્યારે સાધકોને આરાધનાનું આલંબન પૂરું પાડવું એ શાસન-આરાધનાનું કાર્ય છે. બંને રીતે ઉપકાર થાય છે. અઘરા ગ્રંથો ન બનાવે તો વાદ સભામાં વાદ જીતવાની તાકાત ન આવે અને સરળ ગ્રંથ ન બનાવે તો સામાન્ય સાધક સાધના ન કરી શકે. માટે બન્નેય પ્રકારના ગ્રંથો બનાવીને બંનેય પ્રકારના સાધકો ઉપર ઉપકાર કર્યો છે. Jain Education International જેઓને ટૂંકાણમાં સહેલાઈથી બોધ મેળવવો છે, તેમને માટે તેઓશ્રીએ ટૂંકા અને સરળમાં સરળ ગ્રંથો રચ્યા અને જેમને વિસ્તાર અને ઊંડાણથી સમજવું છે, તેને માટે તેવા વિસ્તૃત ગ્રંથો રચ્યા. જેવો સાધક - જેવો આરાધક તેવું તેને આલંબન મળી રહે, તે માટે આ બધા મહાપુરુષોએ વિધવિધ રીતે ગ્રંથો રચી મહાન ઉપકાર કર્યો છે. વાદ જીતવો એ શાસનની સુરક્ષાનું કાર્ય છે જ્યારે સાધકોને આરાધનાનું આલંબન પૂરું પાડવું એ શાસન-આરાધનાનું કાર્ય છે. બંને રીતે ઉપકાર થાય છે. કેટલાક મહાપુરુષોએ એકલપંડે અઘરા ને સહેલાં બંને પ્રકારનાં ગ્રંથો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy