SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ જાણો ! તેમની સમક્ષ હું બાળક છું. આમ છતાં પણ જે લોકોનો ક્ષયોપશમ મારા કરતાં પણ નબળો છે, તેના માટે પણ આ મારી વૃત્તિ ઉપકારક બને તે માટે મારો પ્રયત્ન છે. જે લોકોની આગમનાં રહસ્યોને ખોલવાની શક્તિ નથી, આગમનાં રહસ્યોને ખોલવા માટે મહાપુરુષોએ બનાવેલાં ગ્રંથો સમજવાની પણ જેમની શક્તિ નથી, તેમના માટે હું આ વૃત્તિ બનાવું છું. સભા : પૂર્વાચાર્યોએ સરળ કેમ ન બનાવી ? ૧૮૪ ૧ - વ્યાખ્યાની રચનાઓ પણ જુદી જુદી કક્ષાના લોકોને આંખ સામે રાખીને કરાતી હોય છે. કેટલાકનો સ્વભાવ જ હોય તે સ૨ળ વસ્તુને નકામી માને અને અઘરી વસ્તુને જ ઉપયોગી માને. એવા લોકોનું હિત કરવું પણ જરૂરી હોય છે. 184 ઘણું ભણીને વિદ્વાન બનીને જે લોકો પ્રજ્ઞાગર્વથી પીડાતા હોય તેનો પ્રજ્ઞાગર્વ ગાળવા અને એમનું હિત કરવા એમનાં દાંત ખાટા થાય એવી અઘરી રચનાઓ પણ કરવી પડે અને આત્મકલ્યાણના અર્થી હોવા છતાં જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી જેઓ નબળો ક્ષયોપશમ ધરાવતા હોય તેવા અલ્પ પ્રજ્ઞાવાળા સાધકો સહેલાઈથી પ્રભુના તત્ત્વજ્ઞાનને સમજીને તત્ત્વમાર્ગે ચાલી શકે તે માટે સરળ વ્યાખ્યાગ્રંથો પણ બનાવવા જરૂરી હોય છે. એટલે ઉપકાર કરવાની વૃત્તિવાળા મહાપુરુષો જે જીવને જે રીતે ઉપકાર થાય તેમ હોય તેવો પ્રયત્ન કરતા હોય છે. Jain Education International આ રીતે વ્યાખ્યાકારોના રસ્તા પણ અલગ-અલગ હોય છે. કેટલીક રચના વિદ્વાનોનાં દાંત ખાટા થાય તેવી અઘરી પણ બનાવે. કારણ કે જો તેઓ સરળ લખે તો ‘આમાં કાંઈ જ માલ નથી. સાવ ફાસફૂસીયા જેવી રચના છે.’ એમ કહી આગમનો અનાદર કરે અને અલ્પજ્ઞ જીવો માટે એવી અઘરી પણ ન રચે કે અલ્પજ્ઞ અર્થી તેનાથી વંચિત રહી જાય. પૂ. ઉપાધ્યાયજી મહારાજે એવા પણ ગ્રંથો બનાવ્યા છે કે જેની એક લાઈન વાંચવી હોય તો તે માટેની સજ્જતા કેળવવા બીજા ૧૦૦ ગ્રંથોનો અભ્યાસ કરવો પડે અને એવા પણ ગ્રંથો બનાવ્યા છે કે બોલતા જાવ ને સમજાતું જાય. સ૨ળ શૈલીમાં ગુજરાતી-હિંદી ભાષામાં સજ્ઝાયો-પદ્યો-સ્તવનો બનાવ્યાં છે અને એ જ ગુજરાતી ભાષામાં અઘરામાં અઘરા દાર્શનિક વિવાદો, સૈદ્ધાંતિક ચર્ચાનો સાર જેમાં ગૂંથ્યો છે એવો ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' અને નિશ્ચય વ્યવહારનાં સ્તવનો વગેરે પણ બનાવ્યાં છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy