SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ : અયોગ્યતાને ખંખેર્યા વિના યોગ્યતા ન પ્રગટે - 8 કલિકાલસર્વજ્ઞ પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ‘વીતરાગ સ્તોત્ર’નાં સત્તરમા પ્રકાશમાં કહે છે ૧૬૧ com - ww ‘નાથ ! સ્વઘરળો યામિ શરનું સરોજ્જિતઃ’ હું ‘અનાથ છું, નિરાધાર છું, આધાર વિનાનો છું, જ્યાં જાઉં છું ત્યાં પીખાંઈ જાઉં છું, ક્યાંક રાગનો હુમલો, ક્યાંક દ્વેષનો હુમલો, ક્યાંક વિષયનો હુમલો, ક્યાંક કષાયનો હુમલો. તેથી પ્રભુ હું અશરણ છું, મને બચાવો, શરણે આવ્યો છું. છએ દર્શનમાં પડેલાં જીવોને બચાવવાની તાકાત ભગવાન આપના વગર કોઈની નથી. તમે કહેશો તે કરીશ. તમારી આજ્ઞા વગર એક ડગલું પણ નહિં ઉપાડું.' આવું થાય તો સાચું શરણું આવ્યું. 161 ક્યાંક જતા હો ત્યારે જો તમારી પાછળ ૫-૧૫ ગુંડાઓ પડી જાય તો તેનાથી બચવા માટે આના ઘરમાં જાવ-આનાં ઘરમાં જાવ. બધા કહે અહિં નહિં, અહીં નહીં અને તેમાં કોઈક સમર્થ વ્યક્તિ મળી જાય તો શું થાય ? ‘મને બચાવી લો. હું તમારે શરણે છું. તમે કહેશો તે કરીશ, પણ મને બચાવો.' આવું થાય કે નહિં ? Jain Education International જેને રાગ અને રાગનાં નિમિત્તોનો ડર લાગ્યો હોય, દ્વેષ અને દ્વેષનાં નિમિત્તોનો ડર લાગ્યો હોય, કષાય અને કષાયોનાં નિમિત્તોનો ડર લાગ્યો હોય, ટુંકાણમાં પત્ની-પુત્ર-ભોગસત્તા-સંપત્તિ ને પૂરા સંસારનો ડર લાગ્યો હોય, જે પ્રેમથી બોલાવે તેનો પણ ડર લાગ્યો હોય, જે લાગણી ને વાત્સલ્ય આપે તેનો પણ ડર લાગ્યો હોય, જે મા-બાપ હુંફ આપે છે, તેનો પણ ડર લાગ્યો હોય, જે પત્ની પ્રેમ આપે છે તેનો પણ ડર લાગ્યો હોય, જેને ઘડપણની લાકડી માનો છો, તે પુત્ર-પૌત્રાદિનો પણ ડર લાગ્યો હોય, જેને વિસામો માનો છો તે ઘ૨બંગલાનો પણ ડર લાગ્યો હોય, જેનાથી બધું જ મળે છે તે પૈસાનો પણ ડર લાગ્યો હોય, તેને જ પરમાત્માનું સાચું શરણ આવે. કેટલાનાં શરણ ગ્રહ્યાં... ન ગ્રહ્યું એક અરિહંતનું : કોમી રમખાણ ફાટી નીકળ્યું છે. તમે ક્યાંક ગયા ને ફસાઈ ગયા. તમારી ચારે બાજુ અડધો-પોણો કિલોમીટર એવો છે કે જો કોઈ તમને જોઈ જાય તો બાળી નાંખે, કાપી કાઢે કે ખતમ કરી નાંખે. ક્યાંય બચવાની શક્યતા નથી અને એમાં કોક સુજન મળી ગયો. ભલે તે તે જ જાતિનો હોય, પણ તમને લાગ્યું, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy