SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ – ૮ : અયોગ્યતાને ખંખેર્યા વિના યોગ્યતા ન પ્રગટે - 8 - 157 નહિ. આવી પરિસ્થિતિનું નિર્માણ કરવું તે ઈન્દ્રિયજય છે. આવો ઈન્દ્રિયજય જેણે કર્યો હોય તે જિતેન્દ્રિય કહેવાય છે. આગમ વાચના માટે ઈન્દ્રિયદમનથી આગળ વધીને ઈન્દ્રિયજય અતિઆવશ્યક છે. ઈન્દ્રિયદમન દ્વારા પ્રાપ્ત થતું દાંતપણું પ્રાથમિક ભૂમિકા છે. જ્યારે ઈન્દ્રિયના જયથી પ્રાપ્ત થતું જિતેન્દ્રિયપણું ઉપરની ભૂમિકા છે પણ એ હદ સુધી જીતેલી હોવી જોઈએ કે સાધકને લેશ પણ મુશ્કેલી ઉભી ન કરે. ઈન્દ્રિયો જો જીતાયેલી ન હોય તો તે સાધનામાં સંક્ષુબ્ધતા ઉભી કરે છે, માટે ઈન્દ્રિયોને જીતવી અતિઆવશ્યક છે. ઈન્દ્રિયોને જીત્યા પછી સંયમમાં, સ્વાધ્યાય આદિ યોગોમાં સાધકને જે સ્થિરતા પ્રાપ્ત થાય છે, તેના યોગે તે સૂત્રઅર્થની વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા સમ્યક પ્રકારે સમુચિત રીતે કરી શકે છે. પૃચ્છના અને ટહુકાનો ભેદ સમજો ! જે પણ વાચના લે તેમાં તે સ્થિરતાપૂર્વક - એકાગ્રતાપૂર્વક સમજવાનો પ્રયત્ન કરે. ન સમજાય ત્યાં જરા પણ લઘુતાનો અનુભવ કર્યા વિના વિનમ્ર બનીને વિધિપૂર્વક પૃચ્છા કરે. સભા સાહેબ ! પૃચ્છનાની પણ વિધિ હોય ? હા, પૃચ્છનાની પણ વિધિ છે. જ્યારે પૂછવાનો અવસર આવે ત્યારે વિનયના પરિપાલનપૂર્વક પૂછાય તે જ પૃચ્છના છે. શ્રી ભગવતીજી સૂત્રમાં શ્રી ગૌતમસ્વામીજી મહારાજાનું વર્ણન આવે છે. પચ્ચાસ હજાર કેવળીના ગુરુ એવા તેઓ પોતાના ગુરુદેવ એવા ભગવાનને જ્યારે પણ પૃચ્છના કરતા ત્યારે બે હાથ જોડી, આવર્ત કરી, મસ્તક ઉપર અંજલિ લગાડી, “અંતે, ભગવન્, ભદંત.” આવા સંબોધન કરીને પછી પૂછવાની રજા લઈને પૂછતા. મનમાં આવ્યું અને પૂછી નાંખ્યું – એવું ન હતું. પૂછવાની રીત, શૈલી, પદ્ધતિ પણ અનંત-અનંત કર્મનિર્જરા સાધી આપે તેવી છે. માટે તો એનો નંબર સ્વાધ્યાય નામના અત્યંતર તપમાં કરવામાં આવ્યો છે. કાંક્ષા મોહનીય વગેરે કર્મોની નિર્જરા પૃચ્છનાથી થાય છે અને એથી સમ્યગ્દર્શન નિર્મળ બને છે. જે ઈન્દ્રિયોને જીતે ને અંતર્મુખ થઈને, એકાકાર બનીને ઉપયોગની સ્થિરતાપૂર્વક પૃચ્છા કરે તો લોકોને પણ થાય કે અનુપમ પૃચ્છા કરી. બાકી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy