SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ૧ – આગમ જાણો ! 136 જેની મનઃસ્થિતિ એવી હોય કે ગમે તે પરિસ્થિતિ આવે તો પણ મારે વિષયોને આધીન નથી થવું, નિંદા કે ચોરી નથી કરવી. જે પણ પાપસ્થાનકો છે તે મારે નથી સેવવાં. ચાલુ જીવનમાં ગમે તેટલાં કષ્ટ વેઠવાં પડે તો વેઠી લેવાં છે, પણ મારે પાપ તો નથી જ કરવું તે પાપભીરુ-અવદ્યભીરુ કહેવાય. અવદ્ય એટલે જ પાપ. સંસ્કૃત ભાષામાં પાપ માટેનો બીજો શબ્દ “અવદ્ય” છે. એનું પ્રાકૃત રૂપ “અવજ્જ થાય છે. ભીરુ એટલે ડરનારો, એટલે પાપથી જે ડરે તે અવદ્યભીરુ, પાપભીરુ કહેવાય. પાપભીરુને સતત પાપનો ડર હોય, મારાથી ક્યાંય એક પાપ ન થઈ જાય એની એને ચિંતા હોય. તે હિંસા, જુઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ-દ્વેષ, જુગુપ્સા, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, રતિ, અરતિ, પર પરિવાદ, માયા-મૃષાવાદ કે મિથ્યાત્વ - આવાં જે જે પાપો છે, તેમાંથી કોઈપણ પાપ મારાથી ન થઈ જાય, એવો જેને ભય હોય, તે પાપભીરું કહેવાય. આવા પાપભીરુંને જ્યારે પાપ કરવાનો અવસર આવે ત્યારે સંસારી જીવ જેટલો સાપથી ડરે તેના કરતાં તે વધારે પાપથી ડરે. પાપ કરતાં પહેલાં હૈયું કંપતું હોય, કરતી વખતે હાથ ને હૈયું, બંને કંપતાં હોય અને કર્યા પછી પાપના પશ્ચાતાપનો પારાવાર ભાર હોય, તે રસપૂર્વક ક્યારેય પાપ ન કરી શકે. કારણ કે એને પાપ, પાપ લાગે છે. એના જીવનમાં પાપપ્રવૃત્તિ ન હોય તેમ ન બને, પણ પાપ પ્રવૃત્તિ તેને ગમે તેમ તો ન જ હોય. એના જીવનમાં જ્યારે જ્યારે મોહનો હુમલો આવે ત્યારે કષાયો એને ખેંચીને જાય. પાપ કરાવનાર કર્મ તેને ઘસડીને લઈ જાય છતાં એ પરિસ્થિતિમાં ય એના રોમેરોમમાં પાપ પ્રત્યે સતત ધૃણા અને તિરસ્કાર જીવંત હોય છે. માટે જ “વંદિત્તા સૂત્રોમાં સમ્યગ્દષ્ટિ માટે કહ્યું, 'सम्मदिट्ठि जीवो, जइ वि हु पावं समायरे किं चि । अप्पोसि होइ बंधो, जेण न निद्धंधसं कुणइ ।।१।।' સમ્યગ્દષ્ટિ જીવ પહેલાં તો પાપ કરે જ નહિ અને જો કદાચ કરવું જ પડે તો તેમાંથી જેટલું ઓછામાં ઓછું થાય તેટલું જ કરે અને તે સ્થિતિમાં તે નિર્બસ પરિણામવાળો ન હોય.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy