SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧ - આગમ જાણો ! - | 122 સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ધર્મમાંથી દેશવિરતિરૂપ તમારો ધર્મ હોય કે સર્વવિરતિરૂપ અમારો ધર્મ હોય. તેના પાલનમાં અંદરના આક્રમણ આવે કે બહારનાં આક્રમણ આવે, અનુકૂળ ઉપસર્ગો આવે કે પ્રતિકૂળ ઉપસર્ગો આવે. એ દરેક સામે ક્યાંય નમતું જોખ્યા વિના દૃઢતાપૂર્વક ટકી રહે તેને દૃઢધર્મી કહેવાય. આવા દઢધર્મ આપણે સૌએ બનવાનું છે. જો એ રીતે દઢધર્મી બનીને આગમશાસ્ત્રોનું અધ્યયન થાય તો આત્માને કેવો મહાન લાભ થાય તે બરાબર વિચારશો. પ્રતિકૂળ ઉપસર્ગોમાં ટકવું અઘરું, તો અનુકૂળ ઉપસર્ગોમાં ટકવું અતિ-અઘરું? આ થઈ પ્રતિકૂળ ઉપસર્ગ વચ્ચે દઢધર્મી બની રહેવાની વાત. હવે અનુકૂળ ઉપસર્ગ વચ્ચે દઢધર્મી બની રહેવાની વાત કરું. પરમતારક પરમશ્રદ્ધેય પરમગુરુદેવ દીક્ષાનો સ્વીકાર કરી, પોતાના વતન ગયા. ત્યારે પૂજ્ય ગુરુદેવોની આજ્ઞાથી ઘર આંગણે ભિક્ષા વહોરવા ગયા તે સમયે બનેલી ઘટના આ સંદર્ભમાં ખાસ સમજવા જેવી છે. તેઓશ્રીએ જન્મતાં જ પિતાને ગુમાવ્યા હતા અને સાત વર્ષની ઉંમરમાં જ પોતાની માતાને ગુમાવ્યા હતા. તે સાતથી સત્તર વર્ષની ઉમર સુધી મા-બાપની ખોટ ન સાલે તે રીતે તેમને પોતાના પિતાનાં પિતાની માતા રતનબાએ સાચવ્યા હતા. આ રતનબાએ પોતાની વૃદ્ધાવસ્થામાં પણ એકલે હાથે તેમનું મા-બાપની જેમ ઘડતર કર્યું. દરેક રીતે વાત્સલ્ય આપ્યું - ગુણોનું સિંચન કર્યું. ક્યારેય માબાપનો અભાવ કે જીવનનો કોઈ ખાલીપો ન અનુભવાય તેની કાળજી રાખી. આ રતનબા આ સમયે આશરે ૮૦-૮૧ની ઉંમરે પહોંચ્યાં હતાં. જીવનનો કાંઠો હવે નજીક દેખાતો હતો. આમ છતાં સાત પેઢીના એકના એક વારસદાર એવા આ ત્રિભુવનને તેમણે દીક્ષા લેવાનો નિયમ અપાવ્યો હતો. એમાં એક વાત એ કહી હતી કે હું જીવું ત્યાં સુધી નહિ.' તેમણે ત્રિભુવનને કહ્યું હતું કે, “તું જ મારી ઘડપણની લાકડી છે, અંધકારનો દીવો છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy