SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ - ૬ વ્યવહારમાં ધન-સંપત્તિ જરૂરી, ધર્મમાં ગુણસંપત્તિ જરૂરી - 6 - 115 ઉપવાસ કોઈ કરે તો પણ તેમાં જિનાજ્ઞા ન હોઈ જિનાજ્ઞાને માનતી કોઈ પણ વ્યક્તિથી ત્યાં ન જ જઈ શકાય કે તેને અનુમોદન આપી ન શકાય. સભા સાહેબજી ! ક્યાંક એવું વાંચ્યું-સાંભળ્યું છે કે “અંબડ પરિવ્રાજકને સમકિતનો આફરો ચડ્યો હતો, તે ઉતારવા ભગવાન મહાવીરે સુલસા શ્રાવિકાને ધર્મલાભ કહેવરાવવાનો ત્રાગડો રચ્યો હતો? તો આ બરાબર છે ? સમક્તિ એક એવો ગુણ છે કે એનો આફરો ક્યારેય ચડી શકે નહિ. જ્ઞાનનો, ક્રિયાઓનો, અનુષ્ઠાનોનો, તપનો કોઈને આફરો ચડે એમ બની શકે, પણ સમકિત તો આત્માનો નિર્મળ ગુણ છે. તે કોઈ કર્મની પ્રકૃતિ નથી. તે ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષાયિક ભાવે જ હોય, તેથી તેનો આફરો ચડવાનો પ્રશ્ન જ નથી ઉઠતો. તેથી એવું જો કોઈએ લખ્યું કે કહ્યું હોય તો તે જરાય બરાબર નથી અને ભગવાન ત્રાગડો રચે, આવું વિચારવું એ પણ પાપ છે, તો બોલાય કે લખાય શી રીતે ? સાચો સાધક કે સાધુ પણ જો ત્રાગડો ન રચે તો સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા ત્રાગડો રચે; એ કલ્પના પણ કેટલી બેહૂદી છે. “ત્રાગડો' શબ્દ જ એટલો વિચિત્ર છે કે જેનો ધર્મી જગત સાથે ક્યાંય મેળ જ ન બેસે તો પરમાત્મા સાથે એનો મેળ શી રીતે બેસે ? જેણે પણ આવું લખ્યું કે કહ્યું હોય તે વીતરાગ પરમાત્માના સ્વરૂપથી કે જૈનશાસનની શૈલીથી જરાય મેળ બેસે તેવું નથી. આ બધી વાત તમને જે મેં કરી તે સમ્યગ્દર્શનની સ્થિરતાના અનુસંધાનમાં - કરી. સામાયિકનો નિયમ રોજનો હોય, આમ છતાં કોઈ દિવસ રહી ગયું તો વિચારે કે કાલે બે કરી લઈશ તો તેને દૃઢધર્મી ન કહેવાય. જે નિયમ જે રીતે લીધો હોય તે રીતે જ પાળવો જોઈએ. સમાધિને સમજી લો! સમાધિને સાધી લો ! : સભા: સમાધિ રહેવી જોઈએ ને ? તમે સમાધિ કોને માનો છો. જો સમાધિની ચિંતા હોય તો તે માટેનો જ માર્ગ સામાયિક છે અને એ જીવનભરનું જીવવા સર્વવિરતિરૂપ ચારિત્ર છે. છ જીવનિકાયની સમાધિ માટે જો વિચારતા હો તો ભગવાનની આજ્ઞા મુજબ ચારિત્રનું પાલન કરો તે સમાધિ પામવાનો રાજમાર્ગ છે. બાકી તાત્કાલિક દેખાતી દ્રવ્યસમાધિ અને ભાવસમાધિમાં ઘણો ફરક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy