SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ જાણો ! અંબડ પરિવ્રાજકે મસ્તક નમાવ્યું, અંજલિ જોડીને તાત્તિ કહ્યું અને ત્યાં જઈને સુલસા શ્રાવિકાને ધર્મલાભ જણાવવાના છે તે વાતનો સ્વીકાર કર્યો. ૧૧૨ ૧ - તેઓ તાજું જ સમ્યગ્દર્શન પામ્યા હતા. તેથી વિચાર્યું કે પ્રભુવીરે આટલી મોટી રાજગૃહીમાં બીજા કોઈને નહિ ને સુલસા શ્રાવિકાને ધર્મલાભ કેમ કહેવડાવ્યા ? શ્રેણિક, અભય, શાલિભદ્ર જેવા અનેક મહાશ્રાવકો ત્યાં હતા છતાં ભગવાને સુલસાને જ યાદ કેમ કરી ? શંકા નથી, પણ જિજ્ઞાસા થઈ કે તેનામાં એવી તે શું વિશેષતા છે કે ૫રમાત્માએ એને ધર્મલાભ કહેવરાવ્યા. મારે એ વિશેષતા જાણવી છે. સુલસાની શ્રદ્ધા - સમ્યગ્દર્શન - તેની સ્થિરતા-દઢતા તપાસવા માટે આખું આયોજન વિચાર્યું અને અમલમાં પણ મૂક્યું. તેઓને ઈન્દ્રજાળ કરતાં પણ આવડતી હતી. તેથી તે શક્તિનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું અને રાજગૃહી નગરીનાં પૂર્વ દ્વારનાં ઉદ્યાનમાં બ્રહ્માનો અવતાર ધારણ કરી નગરની બહાર સ્થિરતા કરી. ચારે બાજુ દિવ્ય વાતાવરણનું સર્જન કર્યું. નગરનાં લોકો પ્રસન્ન થયાં અને વિચાર્યું કે, આપણો પ્રબળ પુણ્યોદય જાગ્યો છે કે સાક્ષાત્ બ્રહ્માજી પધાર્યા છે. ચાલો ! બ્રહ્માજીનાં દર્શન કરીએ અને જીવતરને ધન્ય કરીએ. આખી રાજગૃહી હિલોળે ચડી. જે કોઈ દર્શન કરવા આવે છે તે વિચારે છે કે અમારો જન્મારો લેખે લાગ્યો. કેટલા ભવનાં પુણ્ય ઉદયમાં આવ્યાં કે બ્રહ્માજી અમારી નગરીમાં પધાર્યા. જે મળે તે એકબીજાને કહે છે કે તમે દર્શન કર્યાં ? ન કર્યાં હોય તો જલ્દી જાઓ ! જો જો ક્યાંય મોડું ન થાય. નહિ તો બ્રહ્માજી ચાલ્યા જશે તો તેમનાં દર્શન કર્યા વિના તમારો જન્મારો અલેખે જશે. Jain Education International 112 આ સાંભળીને બાકીનાં દોડે છે - બધાં ઉમટ્યાં છે - સુલસા શ્રાવિકાને પણ કહેનારાં ઘણાં મળ્યાં. ઘણાંએ તેને આવવા માટે ઘણું ઘણું કહ્યું, પણ સુલસા શ્રાવિકાને જરા પણ કુતૂહલ ન થયું. કારણ કે, સુલસા શ્રાવિકા દઢધર્મી હતી. બ્રહ્મા કેવા છે, એ જોવા-જાણવાનું કુતૂહલ પણ તેને ન થયું. આજે તો કેટલાક લોકો પૂછે છે કે ફરવા જઈએ તો ઈતર લોકોનાં ધર્મસ્થાનો જોવા જવાય કે નહિ ? અમુક મંદિર કે મસ્જિદ જોવામાં શું વાંધો ? જીવ્યા કરતાં જોયું ભલું. ત્યાંના આચારો જોઈશું, સ્થાપત્ય જોઈશું. આપણી ટુંકી દૃષ્ટિ કેવી ? આવી સંકુચિતતા કેમ ? આવું પૂછનારા, કહેનારા ઘણા મળ્યા છે. જ્યારે સુલસાને જોવાનો વિચાર પણ ન આવ્યો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy