SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ – વ્યવહારમાં ધન-સંપત્તિ જરૂરી, ઘર્મમાં ગુણસંપત્તિ જરૂરી – 6 – 109 હોય અને એ પછી એ જેમ જેમ ઉપરના ગુણઠાણે જાય, તેમ તેમ તેનો ધર્મપ્રેમ વધતો જાય. આ બધી ચર્ચા કરીને ધર્મ કેટલો મહાન છે, શ્રેષ્ઠ છે, આવશ્યક છે, ઉપકારક છે, અનિવાર્ય છે, પરમસુખનું ધામ છે એની સમજ મેળવવી છે. જેથી ધર્મ પ્રત્યે પ્રીતિ પેદા થાય અને એ દ્વારા આગમશ્રવણ માટેની યોગ્યતા પ્રગટે. આ વાતો બધી તમને હતાશ કરવા માટે કે ડીપ્રેશનમાં નાંખવા માટે નથી. તમારામાં કાંઈ નથી તેવી લઘુતા પણ તમારામાં ઉભી કરવી નથી, પણ તમને ખ્યાલ આવે કે આગમ શ્રવણ માટે કેવા કેવા ગુણો જોઈએ તો તમે તે ગુણો પામવાનું પ્રણિધાન કરી શકો. જે સૂત્રકૃતાંગ સૂત્રનું આપણે અધ્યયન કરવું છે, તેને ભગવાને અર્થથી ભાખ્યું, ગણધર ભગવંતોએ સૂત્રથી ગૂંથ્ય અને મહાપુરુષોએ તેના ઉપર ભાષ્યનિર્યુક્તિ-પૂર્ણિ ને ટીકા વગેરે કરી. જેના સહારે અનેક ભવ્યાત્મા મિથ્યાત્વથી છૂટીને નિર્મળ સમ્યગ્દર્શનને પામ્યા, અવિરતિથી છૂટીને વિરતિધર્મના આરાધક બન્યા, પ્રમાદભાવથી મુક્ત થઈને અપ્રમત્ત દશાને વર્યા, રાગ-દ્વેષનો સર્વથા ક્ષય કરીને વિતરાગ બન્યા અને અંતે સર્વ કર્મનો ક્ષય કરીને મુક્ત બન્યા. તેવું મહાન આગમ આપણને સાંભળવા મળ્યું, તે મહાન આગમનું પ્રથમ મંગલ સૂત્ર આપણને સાંભળવા મળ્યું છે, તેને આપણે વિધિવત્ સાંભળવું છે અને એ અધ્યયનોને અભ્યસ્ત કરી આપણા આત્મામાં પરિણમાવવું છે અને માટે જ આ બધા ગુણો આપણે કેળવવાના છે. - જ્યારે વસ્તુનું મૂલ્ય સમજાય ત્યારે વસ્તુ આપનારની શરતોને વસ્તુ લેનાર માન્ય રાખતો હોય છે, એ માટે જેટલી જેટલી શરતો ફોર્મમાં લખીને આપી હોય તે બધી જ તે પૂરી કરતો હોય છે. એ પૂરી કર્યા વિના વસ્તુ મળતી નથી અને વસ્તુનો સાચો અર્થ એ શરતોની ઉપેક્ષા પણ કરતો નથી. એ જ રીતે જો ધર્મ પ્રત્યે પ્રેમ પેદા થાય તો મૃતધર્મ અને ચારિત્ર ધર્મની સાધના માટે જે જે જરૂરી ગુણોની પોતાના જીવનમાં ખામી હોય તે તે ગુણોને મેળવવાનું મન થાય અને તે માટે પ્રયત્નશીલ પણ બનાય. જો હૈયામાં સાચો ધર્મપ્રેમ પ્રગટે તો તે ધર્મપ્રેમના કારણે નબળો હોય તે સબળો બનવાનો પ્રયત્ન કરે. તે પોતાના જીવનની ખામીઓને ખૂબીઓમાં પલટાવવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy