SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ : વ્યવહારમાં ધન-સંપત્તિ જરૂરી, ઘર્મમાં ગુણસંપત્તિ જરૂરી અનંત ઉપકારી, ચરમતીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રીમહાવીર પરમાત્માના શાસનના ૫૨માર્થને પામેલા પંચમ ગણધર ભગવંત શ્રીસુધર્માસ્વામીજી મહારાજાએ પ્રત્યેક સાધકે જાગૃત બનીને પોતાને વળગેલાં બંધનને કઈ રીતે જાણવા અને જણાયેલા એ બંધનોને કઈ રીતે તોડવાં તે માટે તા૨ક તીર્થંકર પરમાત્માએ બતાવેલા માર્ગને બીજા અંગ આગમ શ્રી સૂયગડાંગજી સૂત્રના માધ્યમથી ૨જુ કર્યો છે. આ મહાન અંગ આગમ ઉપર ભદ્રબાહુસ્વામીજી મહારાજાએ નિર્યુક્તિ ગ્રંથની રચના કરી છે. તે જ રીતે પૂર્વ મહર્ષિએ સંસ્કૃત-પ્રાકૃત મિશ્ર ભાષામાં ચૂર્ણિ નામના ગ્રંથની રચના કરી છે, તો પૂજ્ય આચાર્યશ્રી શીલાંકસૂરીશ્વરજી મહારાજાએ સંસ્કૃત ભાષામાં વિસ્તૃત ટીકાની રચના પણ કરી છે. આ દરેક ગ્રંથના માધ્યમથી જે સ્વરૂપે આત્માને ઓળખવો જરૂરી છે તે સ્વરૂપે આત્માને ઓળખાવવા માટે જે સ્વરૂપે આત્મજાગૃતિ કેળવવી છે, તે સ્વરૂપે આત્મજાગૃતિ કેળવવા, જે સ્વરૂપે સંવેગ પામવો જરૂરી છે તે રીતે સંવેગ પામવા, જે સ્વરૂપે બંધન ઓળખવું જરૂરી છે તે સ્વરૂપે તેને ઓળખવા અને જે સ્વરૂપે બંધનને ઓળખીને તેને તોડવાના માર્ગો જાણવા જરૂરી છે તે સ્વરૂપે તે માર્ગોને જણાવવાનો આ મહાપુરુષોએ સબળ અને સઘન પુરુષાર્થ કર્યો છે. અનાદિકાળથી મારો-તમારો આત્મા બંધનથી બંધાયેલો છે. તે બંધન ઓળખાય નહિં, ખટકે નહિં, ત્યાં સુધી તોડવાનો પરિણામ પેદા થતો નથી, જ્યાં સુધી તોડવાનો પરિણામ પેદા થાય નહિ, ત્યાં સુધી તેને તોડવાનો પુરુષાર્થ થતો નથી અને જ્યાં સુધી એ બંધનને તોડવાના પુરુષાર્થનો પ્રારંભ ન થાય, ત્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy