SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ હુ'સ-કેરાવની કથા.-૧૩ ૮૭ પ્રથમની જેમ રાત્રે ભેજન કર્યાં વિના તેમણે પાંચ રાત્રિ કહાડી. પછી અે દિવસે સૂર્યાંસ્ત થતાં તે ઘરે આવ્યા ત્યારે યશેાધને વિનયથી તેમને કામળ વચન કહ્યુ-‘પુત્રા ! જે મને સુખકારી છે, તમને પણ તે જ ઇષ્ટ હોવું જોઇએ, એવી ખાત્રી હાવાથી હું તમને કંઈક કહું તે પ્રમાણે કરા— તમારા રાત્રિભોજનના ત્યાગની મને ખબર ન હતી, તેથી મે તમને આવા વધારે કલેશવાળા કામમાં જોડ્યા. તમે રાત્રે ભોજન કરતા નથી, તેથી તમારી માતા પણ જમતી નથી. આજે તેને મહા મહેનતે છઠ્ઠો ઉપવાસ થયા, તેથી કુસુમ જેવી કેામળ એવી તમારી છ મહિનાની મ્હેનને સ્તનપાન (ધાવણુ) મળ્યું નથી. જુએ. આજે તે કેટલી બધી મ્લાન ( કરમાઈ) ગઈ છે? આ બાલિકાની મ્લાનત.-દુખળપણુ જોઇ તેનું કારણ પૂછતાં લેાકેા તમે ભોજન કરતા નથી.’ એવું મને કારણ જણાવે છે; માટે હું દયાના નિધાન ! હવે તમે ભોજન કરો કે જેથી તમારી માતા પણ જમે. અને તેથી આ ખાલિકાને પિત્તાદિકની કંઈ વ્યથા ન થાય. વળી બુધ જને રાત્રિના પ્રમ અધ પ્રહરને પ્રદોષ ( સધ્યા કહે છે, અને છેવટના અધ પ્રહરને પ્રત્યુષ ( સવાર ) કહે છે. તેથી તે ત્રિયામા તરીકે વિખ્યાત થઈ છે, માટે અત્યારે ભોજન કરતાં તમને રાત્રિભોજનને દોષ નિહ લાગે; કારણ કે એ ઘડી રાત્રિ પણ હજી ગઈ નથી.’ એ રીતે પિતાના વચનથી મેદાયેલ, સુધાથી વ્યાકુલ થયેલ તથા કલેશથી જેને આવેશ ( વેગ ) હણાઈ ગયા છે એવા હંસે કેશવના મુખ તરફ્ જોયુ, ત્યારે પેાતાના જ્યેષ્ઠ ખંધુને કવ્યમાં કાયર સમજીને કેશવે કષ્ટદાયક પિતાને 6 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004863
Book TitleDevsi Rai Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorDevchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1950
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy