SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ રવિભાજન ઉપર કહ્યું- હે તાત! જે કૃત્યથી તમને સુખ ઉપજે તે હું કરું અને જેનાથી મારા પાકને નાશ થાય તે શું તમને સુખકારી ન થાય? વળી માતા વિગેરેનું જે વાદ્ય છે તે ધર્મકર્મમાં શલ્ય (વિદ્મ) રૂપ છે. બધા પોતપોતાના કર્મનું ફલ ભોગવે છે, કોઈને માટે કેણ પાપ કરે? દિવસની શરૂઆતમાં અને અંતે, એક મુહૂર્ત તે રાત્રિની નજીક હોવાથી રાત્રિ સમાન જ છે માટે તે વખતે પણ ન જમવું જોઈએ, ત્યારે હમણા તે રાત્રિ જ છે, તે હે પિતાજી! તમારે હવે વારંવાર મને એ પ્રમાણે ન કહેવું. આ કામ કરતાં ભવથી તાપ પામેલ મને કયાં શાંતિ મળવાની છે?” ત્યારે પાપના પોષક તેના પિતાએ ક્રોધ કરીને તેને કહ્યું–જે તું મારું વચન ઉલંઘવા ઈચ્છે છે તે મારી દ્રષ્ટિથી દૂર થા.” એટલે સર્પોિથી ભરેલ સુફ સમાન તે ઘરથકી સંસારના કારણરૂપ મમતાને તજીને કેશધે બહાર નીકળી ગયે. તેની પાછળ જતા હંસને મહાકટે પણ પકડી, બહુ પ્રકારે લલચાવીને યશપને તેને જમવા બેસાર્યો. હવે તેવા જ આવેરામા ગામ, નગર, પર્વત અને આરામ (બગીચા) વિગેરેને ઓળંગતે તે કેશવ સાતમે દિવસે એક રસ્તે ચડ્યો. ત્યાં કઈ અટવીમાં ભમતાં મધ્યરાત્રે ઘણા યાત્રિકે છે જ્યાં એકત્ર થયા છે એવા એક યક્ષમંદિરને તેણે જોયું. તે ચક્ષગૃહમાં યાત્રિક જને ભોજન તૈયાર કરી ખુશી થતા તેઓ કેશવને હર્ષ પૂર્વક કહેવા લાગ્યા...હે મુસાફર ! આવ, આવા આ ભજન ગ્રહણ કર અને અમને પુણ્ય પ્રાપ્ત કરાવ. પારણા શરૂઆત કરતાં અમે અતિથિની બહુ તપાસ કરીએ છીએ ત્યારે પુણ્યની પરંપરાને વધારનાર કેશવ બોલ્યો –“અહો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org **' ', , .
SR No.004863
Book TitleDevsi Rai Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorDevchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1950
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy