SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ સુમિત્રાની કથા–૧૨. આપશે ” એમ ધારીને રાજમંત્રીએ તેને મારવાનો વિચાર કર્યો પરંતુ પિતાની ચતુરાઈથી પરના મનને જાણનાર જિનદાસે તેના નેત્ર અને વચનવિકારથી તેને વિરુદ્ધ વિચાર જાણી લીધે, એટલે રાજાની રજા લઈ તીર્થયાત્રાના મિષથી રત્નતી પત્નીને તેના પીયર મેકલી દીધી. હવે ચિરના મિષથી તેને પકડવાને સાવધાન રહીને રાત્રે મંત્રીએ પોતાના સેવકે મારફતે તેને ગૃહમાર્ગ રેકી રાખે. તે જાણી નોકરના વેષમાં તે જિનદાસ શેઠ લક્ષ્મીધરની સાથે કીંમતી રત્ન લઈને નગરની બહાર નીકળી ગયે, અને રસ્તાની ખબર ન હોવાથી સતત આગળ ચલિતાં તૃષાતુર થઈને તે કઈક અરણ્યમાં જઈ ચડ્યો. ત્યાં ગભરાઈ ગયેલા તેણે પિતાના જીવિતવ્યની જેમ વચ્ચે બાંધેલ રને મિત્રના હાથમાં પ્યા. પછી કઈક કૂવામાં જળ જેવા જતાં રત્નના લેભથી તે બ્રાહ્મણે તેને ધક્કો મારીને કૂવામાં નાખી દીધો. જીવતા માણસને વિશ્વાસ કે? તે કૂવામાં પડતાં તેણે–આ કોણ છે?” એવું વચન સાંભળ્યું. એટલે અવાજ પરથી પિતાની રત્નાવતી પ્રિયાને ઓળખીને તે બેઃ “અરે પ્રિયા ! તું પણ આ કૂપમાં ક્યાંથી પડી ? તારો તે પરિવાર કયાં છે? અહા ! વિધિની વિડંબનાને ધિક્કાર છે!” પિતાના પતિને દુર્દશામાં છતાં પાસે આવેલ જોઈને તેણીને નેત્રમાં દુઃખ અને હર્ષના આંસુ એકી સાથે ભરાઈ આવ્યાં. ત્યાં પણ પતિદર્શનથી પિતાના આત્માને ધન્ય માનતી તે સતીશિરોમણિ રત્નાવતી બોલી: “આ અટવીમાં ચેરેએ બધું લૂંટી લેતાં મસ્ત પરિવાર ભયને લીધે કયાંક ભાગી ગયે. તે ચરે મારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004863
Book TitleDevsi Rai Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorDevchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1950
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy