________________
૭૫
મિત્રાનંદ મંત્રોની કથા.-૧૧ પધાર્યા છે.” એટલે પ્રીતિથી તેને પિતાના અંગનાં આભૂષણે આપીને તરત જ તે રાજાની સાથે ઉદ્યાનમાં ગયા. ત્યાં નેત્રામૃત સમાન મુનિને નમીને તે રાજા તથા મંત્રી કર્ણમૃતતુલ્ય તેમની વાણી સાંભળવા બેઠા. પછી દેશનાને અંતે રાજાએ મુનીશ્વરને પૂછયું કે “ભાગ્યશાળી મંત્રીને વિપત્તિસમયે પણ સંપત્તિ કેમ પ્રાપ્ત થઈ ?” ત્યારે મુનિ બેલ્યા કે –
“ભાગ્યશાળીઓના ભારથી નીચે આવી પડી હેય નહિ એવી અમરાવતી સમાન વૈભવયુક્ત પદ્મનેત્રા નામે એક વિખ્યાત નગરી છે. ત્યાં આદિત્ય નામે રાજા હતા. તેના પ્રસાદના પાત્રરૂપ અને જિનધર્મમાં ધુરંધર એ સુદત્ત નામે ધનવાન શેઠ હતા. તે એકદા પાપગના ઔષધ સમાન પૌષધ લઈને અત્યંત શાંત મનથી રાત્રે પિતાના મકાનમાં રહ્યો. એવામાં અવસ્થાપિની વિદ્યાને જાણનાર તથા ઘણું ચેરોના પરિવાર સાથે કોઈ તસ્કરનાયક તેના ઘરમાં પેઠે. એટલે ચેરે સ્મરણ કરતાં તે વિદ્યા દ્વારા ત્યાં બધા લેકેને મૂછિત કર્યા પણ નમકાર મંત્રનું ધ્યાન ધરનાર સુદત્ત ઉપર તે વિદ્યાએ અસર કરી નહિ. તેથી એકાંતમાં રહેલ તથા પિતાને જોતા એવા તે શેઠને નહિ જાણતા તે ચરેએ હર્ષિત થઈને તેના ઘરમાંનું બધું ધન લીધું. તે સમયે તેઓ તરત પટારા ભાંગવા લાગ્યા, કપાટ તેડી પાડવા લાગ્યા અને દ્રવ્યની ખાતર ભૂમિગૃહ (ભોંયરા) પણ જોધી કાઢવા લાગ્યા. અહ! આ ઉત્પાત થયા છતાં ધર્મના આલંબનમાં નિયંત્રિત થયેલ તે મહાત્માનું મન ધ્યાનથી ચલાયમાન ન થયું. વળી તેઓ આવ્યા પહેલાં, આવીને ધન લેતાં અને તેઓ ચાલ્યા ગયા છતાં તે શેઠના ધ્યાનમાં કેઈપણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org