SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ પરિગ્રહ પરિમાણ ઉપર નીકળી ગયે. પિતાના કરડયામાં રહેલી જિનેશ્વરની પ્રતિમાને ધારણ કરતે તે પંચનમસ્કારને સંભારતાં નગરનાં દ્વાર પાસે આવ્યું. એવામાં તે નગરને શૂર નામે રાજા શૂળથી મરણ પામતાં મંત્રીઓએ સજજ કરેલ દિવ્યહસ્તી તે વખતે ત્યાં આવ્યું, અને પ્રિયા સહિત તેને તે કળશના જળથી અભિષેક કરીને હસ્તીએ પિતાની સુંઢવતી તેને પીઠ પર બેસાર્યો. એટલે ગજરાજ પર બેઠેલા તે શેઠને તેની પિતાની ખુશી નહિં છતાં હર્ષ પામતાં મંત્રીએ મહત્સવ પર્વક રાજમહેલમાં લઈ ગયા તે વખતે—લક્ષ્મીના પંકમાંથી નીકળતાં રાજ્યના મહાપંકમાં પડેલ પિતાને તે વાદળાઓથી મુક્ત થયેલ અને રાહુથી ગ્રસ્ત થયેલ ચંદ્રમા સમાન લાગે. ” પછી ભદ્રાસન પર બેઠેલા તેણે અભિષેકને નિષેધ કરતાં મંત્રીઓ બધા વિલક્ષ થઈ ગયા. એવામાં દિવ્ય આકાશવાણ થઈ કે –“હે ભદ્ર ! તારે હજી ઘણાં ભેગાવલી કર્મ બાકી છે, માટે રાજ્યલક્ષ્મીને સ્વીકાર કરીને હર્ષિત થા.” એ રીતે પિતાના ભાગ્યદેવતાની વાણું સાંભળતાં પ્રશંસનીય બુદ્ધિવાળા તેણે સિંહાસન ઉપર જિનપ્રતિમા સ્થાપન કરાવી અને પિતે પાદપીઠ પર બેસીને ધર્મને જાણનારા તથા પ્રસન્ન થયેલા મંત્રીએ પ્રાસે તે બુદ્ધિશાળીએ જિનદાસ તરીકે પિતાને અભિષેક કરાવ્યું. પછી ઉત્તમ બુદ્ધિવાળા તે શેઠે ફક્ત પિતાના ઉપગ જેટલે પરિગ્રહ પિતા માટે રાખીને, બાકીની વસ્તુઓને સમસ્ત સમૂહ જિનેશ્વર પ્રભુના નામ પર ચડાવી દીધો, અને કર્તવ્યને જાણનાર અને પવિત્ર મનવાળા તે શેઠ પ્રતિદિન બહુ ધન ખરચીને ત્યાં પ્રભુને યાત્રા-ઉત્સવ કરવા લાગે. લેકે પાસે કર ન લેવાં છતાં ઘણે ખર્ચ કરવા માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004863
Book TitleDevsi Rai Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorDevchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1950
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy