SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાપતિની કથા–પ લાગે અર્થાત્ સૂર્યોદય થયે એટલે પ્રાતઃકૃત્ય કરી, દાનમાં લક્ષ્મી વાપરી સંપૂર્ણ પુણ્યશાળી તથા મરિગ્રહ પ્રમાણુના પ્રત્યાખ્યાનવાળો તે વિદ્યાપતિ શેઠ ( રાત્રીએ ) નિદ્રાધીન થયો. એ રીતે નવ દિવસ તેણે વિના સંકોચે લક્ષ્મી દાનમાં આપતાં કલ્પવૃક્ષોની અધિષ્ઠાયક દેવીઓની પણ પ્રશંસાને પામ્યા. બાદ પુણ્યરૂપ જળમાં પંક સમાન અને મુક્તિમાર્ગને દૂષિત કરનાર મારી બધી લક્ષ્મી આવતી કાલે ચાલી જશે.” એમ પ્રસન્ન મનથી તે રાત્રે સૂતે એવામાં અચાનક હર્ષથી સુંદર દષ્ટિવાળી લક્ષ્મીદેવીએ સ્વમમાં તેને કહ્યું- હે બળથી દેવને દુર્બલ કરનારા, અને ગર્વિષ્ઠ થયેલ તેવા દાન પુણ્યએ તારા પ્રત્યે મને સ્થિર કરી રાખી છે. હે મતિમાન્ ! અતિ પુણ્યપાપનું ફળ અહીં જ ભગવાય છે, એ સુવચનને તે સત્ય કરી બતાવ્યું છે. હવે હું કોઈ વાર તારૂં ભવન છોડવાની નથી, માટે સુભાગ્યયોગે ઈચ્છાનુસાર ઉત્સંગમાં લઈને મને ભગવ.” પછી નિદ્રારહિત થઈને અર્ધરાત્રે તે સ્વપ્નાની વાત પ્રિયા આગળ કહીને તે પિતાની પ્રતિક્ષાના કીડાસ્થિતિ સરખું નીચે મુજબ વચન કહેવા લાગ્યું કે “માત્ર ભેગફલરૂપ લક્ષમીદાનના વ્યશનથી, મુક્તિફલરૂપ તપ વિના આપણે જન્મ ચાલ્યા જશે. વળી કદાચ કઈક દિવસે લેભલીલાથી ચંચળ થયેલું (આપણું) હૃદય આ પાંચમા વ્રતના વિનાશના પ્રપંચને ઉત્પન્ન કરશે, માટે ધનથી ભરેલ આ ઘરને ત્યાગ કરીને ક્યાંક દેશાંતર ચાલ્યા જઈએ કે જેથી લક્ષ્મીની જંજાળથી છૂટીએ.” એ નિશ્ચય કરીને રાત્રે. તે પિતાની સ્ત્રીની સાથે, લક્ષમીની કીડા કરવાના કેમળ કમળમાંથી ભ્રમરની પેઠે ઘરની બહાર - - - : " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004863
Book TitleDevsi Rai Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorDevchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1950
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy