SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પંજાબમાં આ સમયે ઢંઢક મતનું સામ્રાજ્ય હતું. અમરસિંહ રિખ એમના આગેવાન મૂર્તિપૂજાને તીવ્ર વિરોધ એ એમને મુખ્ય વ્યવસાય. અપમતિએ તૈયાર કરેલ ટબાના આધારે તેઓ શાસ્ત્રોના અ૫ સમજણવાળા અથ કરતા. વ્યાકરણના અભ્યાસ પછી શાસ્ત્રોને અર્થ—અભ્યાસ કરે તે રખેને કઈ સત્ય માગે દેરવાઈ જાય એ ખાતર વ્યાકરણને અભ્યાસ કરવાની તેઓની સખ્ત મનાઈ હતી. આ જ સમયે એક સત્ય શોધક અને ભદ્રિક પુરૂષ તરીકે ઓળખાતા શ્રી ભૂદેરાયજી મહારાજ ઢંઢક પંથના હતા. તેઓએ ઢંઢક પંથે માન્ય રાખેલ ૩૨ સૂત્રનો અભ્યાસ શરૂ કર્યો. જેમ જેમ સરળભાવે ઊંડા ઉતરતા ગયા તેમ તેમ પિતાના પંથે કરેલા અર્થો કપિત લાગવા માંડ્યા. વધુ અભ્યાસના પરિણામે ઢંઢક પંથ પરની શ્રદ્ધા સરી પડી. ઢંઢક પંથનું આ સમયે અસાધારણ જેર હોવા છતાં સત્યના પૂજક તરીકે તેઓ નીડરતાપૂર્વક બહાર આવ્યા. સં. ૧૯૦૩ માં તેઓએ સ્વયંમેવ મુહપત્તિ તેડીને તપગચ્છ અંગીકાર કર્યો. છેલા ત્રણ ચાર વર્ષના મનોમંથનને માર્ગ આપે. આમ તપગચ્છ અંગીકાર કરવાના આગલા વર્ષે જ શ્રી બુકેરાયજીનું ચાતુર્માસ રામનગરમાં થયું હતું. જ્યારે ધર્મજસનું સાચે કુટુંબ આ મહાત્માના પરિચયમાં આવ્યું હતું. અને ધર્મવીર કૃપારામને પણ તેમની સાથે સારો પરિચય થયે હતો. એક યાપારીને જરૂરી, એટલે અભ્યાસ કરીને ૧૪ વર્ષની વયે કૃપારામે વેપારી જીવન શરૂ કર્યું. માતા-પિતાએ કૃપારામને ગૃહસ્થી જીવનમાં જોડવા માટે તેમનું વેશવાળ કર્યું, પરંતુ કૃપારામને જીવનરાહ જુદો જ હતું. એક ગૃહસ્થીને છાજે તેટલે વૈભવ, સંપત્તિ અને દરેક સંગે તેમને માટે સાનુકૂળ હતા, છતાં તેમને જીવન–પંથ જુદે જ હતે. પરમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy